મિશનના ૯૫ % ભાગો સ્વદેશી, લુપ્ત થવાની કગાર પરના તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે વિનસ મિશન
ચંદ્રયાન-૩ અને આદિત્ય એલ-૧ની સફળતા બાદ ઈસરો વધુ એક મિશનની તૈયારી કરી રહ્યું છે. આ વખતે ભારતીય અવકાશ એજન્સી ઈસરો હવે અન્ય ગ્રહોના રહસ્યો ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઈસરોના વડા એસ. સોમનાથે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. આ ગ્રહોમાં એવા ગ્રહોનો સમાવેશ થાય છે કે જેનું વાતાવરણ રહેવા યોગ્ય માનવામાં આવે છે.
ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના એક કાર્યક્રમ દરમિયાન ઈસરોના વડાએ કહ્યું કે સ્પેસ એજન્સી શુક્રના અભ્યાસ માટે એક મિશન મોકલવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે એજન્સી સ્પેસ ક્લાઈમેટ અને પૃથ્વી પર તેની અસરનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહો મોકલવાની પણ યોજના બનાવી રહી છે. એસ સોમનાથે જણાવ્યું હતું કે એક્સપોઝેટ અથવા એક્સ-રે પોલેરીમીટર ઉપગ્રહ આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થવાનો છે. આ ઉપગ્રહોને તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે જે લુપ્ત થવાની કગાર પર છે.
તેમણે કહ્યું કે એજન્સી એકસોવર્લ્ડ નામના સેટેલાઇટ પર પણ વિચાર કરી રહી છે. જે સૌરમંડળની બહારના ગ્રહો અને અન્ય તારાઓની આસપાસ ફરતા ગ્રહોની માહિતી એકત્રિત કરશે. એસ. સોમનાથે જણાવ્યું હતું કે સૌરમંડળની બહાર ૫,૦૦૦ થી વધુ જાણીતા ગ્રહો છે, જેમાંથી ઓછામાં ઓછા ૧૦૦ પર પર્યાવરણ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે એક્સોવર્લ્ડ મિશન હેઠળ બહારના ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. આ સાથે મંગળ પર અવકાશયાન ઉતારવાની પણ યોજના છે.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ૮૨માં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપવા પહોંચેલા ઈસરોના વડા સોમનાથે જણાવ્યું હતું કે ભારતમાં રોકેટના ઉત્પાદનમાં વપરાતા લગભગ ૯૫ ટકા પાર્ટસ સ્થાનિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. તેમણે કહ્યું કે રોકેટ અને સેટેલાઇટના વિકાસ સહિત તમામ ટેકનિકલ કામ આપણા દેશમાં જ થાય છે. સોમનાથે કહ્યું કે આ સિદ્ધિ નેશનલ લેબોરેટરીઝ, ડીફેન્સ લેબોરેટરીઝ અને સીએસઆઈઆર લેબોરેટરીઝ સહિત વિવિધ ભારતીય લેબોરેટરીઝ સાથેના સહયોગનું પરિણામ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech