જે કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં પરિવર્તિત થાય તેનું જોડાણ ક્રમશ: રદ કરાશે

  • January 24, 2023 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની એકેડેમી કાઉન્સિલે લીધેલો નિર્ણય: અંતિમ મંજૂરી માટે સિન્ડિકેટમાં રવાના




જો કોઈ કોલેજ યુનિવર્સિટીમાં પરિવર્તિત થાય તો તે ટ્રસ્ટ નીચે આવતી અન્ય કોલેજો અને અભ્યાસક્રમોનુ જોડાણ તબક્કાવાર ક્રમશ: બધં કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયો છે.





સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ મારવાડી, આર.કે, દર્શન સહિતની અનેક કોલેજો યુનિવર્સિટીમાં તબદીલ થઈ ગઈ છે અને છેલ્લે સુરેન્દ્રનગરની સી યુ શાહ અને પંડિત નથુલાલજી કોલેજ પણ યુનિવર્સિટીમાં તબદીલ થયા પછી એકેડેમિક કાઉન્સિલ ની બેઠકમાં આ મુદ્દો આવ્યો હતો અને તેમાં એવો નિર્ણય લેવાયો છે કે આવી યુનિવર્સિટી નીચે આવતી કોલેજોનું જોડાણ તબક્કા વાર બધં કરવામાં આવશે.




મારવાડી અને આર કે યુનિવર્સિટીમાં તો એન્જિનિયરિંગ નો અભ્યાસક્રમ વધુ ભણાવાય છે અને તે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સાથે સંલ નથી. પરંતુ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવે છે.





એકેડેમી કાઉન્સિલ ની બેઠકમાં આ નિર્ણય લેવાયા પછી હવે તેને અંતિમ મંજૂરી માટે આગામી તારીખ ૩૧ જાન્યુઆરીના મળનારી સિન્ડિકેટ ની બેઠકમાં મોકલવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application