ભાવનગર : કરચલીયા પરામાં મોડી રાત્રે ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવાનની કરી હત્યા

  • September 22, 2023 09:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

માતા પુત્રને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા મોડી રાત્રે બનેલા હત્યાના બનાવ ને લઈ એસપી સહિતનો પોલીસ કાપલો ઘટના સ્થળે દોડી ગયો


ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તાર ખાતે રહેતા મહિલાના પુત્રની સગાઈ યુવતી સાથે થઈ હતી અગાઉ યુવતી ની સગાઈ આ વિસ્તાર ખાતે રહેતા યુવાન સાથે થઈ હતી અને યુવાને આત્મહત્યા કરી લેતા મહિલાના પુત્ર સાથે સગાઈ કરવામાં આવી હતી આ સગાઈ થઈ હોવાની દાજ રાખી ત્રણ શખ્સોએ મોડી રાત્રિના સમયે છડી સાથે જસી આવી યુવાન અને યુવાનની માતા સહિત અન્ય એક સફર છરીના ઘા ઝીંક્યા હતા અને ગાળો આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા જ્યાં એક યુવાનનું સ્થળ પર જ મોતની હતું જ્યારે માતા પુત્રને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મોડી રાત્રે હત્યાનો બનાવ બનતા ની સાથે જ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના કરચલીયા પર આ વિસ્તાર ખાતે આવેલ બાલાભગતના ચોક ખાતે રહેતા નિકિતાબેન રામભાઈ બારૈયા એ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધ આવી હતી કે આજથી આશરે ત્રણેક વરસ પહેલા માનવભાઈની પત્ની વિરૂબેનની સગાઈ હરેશ ભાઈ ભરતભાઈ બારૈયા સાથે થયેલ હતી બાદ હરેશભાઈ બારૈયા આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું. જે બાબતે તેઓને વિરૂબેન સાથે મનદુ:ખ હોય અને વિરૂબેન ની સગાઈ નિકિતાબેનના દિકરા માનવભાઈ સાથે કરતા જે કિશન રાઠોડ ને ગમતુ ન હોય જેની દાઝ રાખી કિશન રાઠોડ તથા રોહીત ઉર્ફે બાપુ રમેશભાઈ સોલંકી અને મહેશ ઉર્ફે મયલો ત્રણેય જણા છરીઓ વડે જાનથી મારી નાખવાના ઈશદે દિપકભાઈ મેરને બંન્ને પગના સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી તેમજ નિકિતાબેનના દિકરા માનવભાઈને વાસામા તેમજ ગળાના ભાગે તેમજ નિકિતાબેનને જમણા હાથના પંજામાં છરીઓથી ઈજાઓ કરી ગાળો આપી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ નોંધાય હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application