ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મિશન અમૃત સરોવર અંતર્ગત વર્કશોપ યોજાયો

  • May 23, 2023 12:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને મિશન અમૃત સરોવર અંતર્ગત વર્કશોપ જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.આ વર્કશોપમાં અમૃત સરોવર સપાટી પર અને જમીનની અંદર પાણીની ઉપલબ્ધતા વધારવામાં મહત્વની ભૂમિકા, અમૃત સરોવરોનો વિકાસ અંગેના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. 


અત્રે ઉલ્લેખનીય છે કે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવર (તળાવ) નું નિર્માણ / વિકાસ કરવાનો છે. દરેક અમૃત સરોવર ઓછામાં ઓછો ૧ એકર (૦.૪ હેક્ટર) તળાવ વિસ્તાર હશે જેમાં લગભગ ૧૦,૦૦૦ ઘન મીટરની પાણીની સંગ્રહ ક્ષમતા હશે. દેશના તમામ ગ્રામીણ જિલ્લાઓમાં જિલ્લા દીઠ ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવરોનો વિકાસ થશે. જેથી દેશમાં કુલ ૫૦,૦૦૦ અમૃત સરોવરનું નિર્માણ થશે. 


અમૃત સરોવર સાઇટ પર બ્યુટિફિકેશનના કામો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ વર્કશોપમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, તાલુકા વિકાસ અધિકારી, તલાટીઓ, સરપંચઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application