જામનગર નજીક વિજરખી ડેમ પાસે જીપ કંપાસે બુલેટને ઠોકર મારતા એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસની જીણવટભરી તપાસમાં મૃતકના પત્ની અને તેના પ્રેમીએ કાવતરૂ રચીને હત્યાને અંજામ આપ્યાનું બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, આ અંગે પોલીસ દ્રારા તપાસ આગળ વધારી છે અને મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મુળ કાલાવડના અને હાલ જામનગર રહેતા રવિ મારકણા નામનો પટેલ યુવાન ગઇકાલે વિજરખી ડેમ નજીકના રોડ પરથી બુલેટ બાઇક લઇને પસાર થતો હતો ત્યારે જીપ કંપાસ ફોરવ્હીલ અકસ્માતમાં મૃત્યુ થયાની વિગતો વહેતી થઇ હતી બનાવ અનુસંધાને પંચ–એ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને આ બનાવ સબંધે જીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં કેટલીક ચોકાવનારી વિગતો સામે આવી હતી.
એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી દેવધાના માર્ગદર્શન હેઠળ પંચકોશી–એના પીઆઇ એમ.એન. શેખ અને સ્ટાફ દ્રારા તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હોવાનું ખુલ્યુ હતું. આથી પોલીસે આ દિશામાં ચક્રો ગતીમાન કર્યા હતા.
દરમિયાન કાલાવડના કૃષ્ણનગર–૧ ખાતે રહેતા એકાઉન્ટિંગ અને ખેતીનો વ્યવસાય કરતા ધીરજલાલ ઉર્ફે મહેતાજી મોહનભાઇ મારકણા (ઉં.વ. ૬૧) નામના વૃધ્ધે પંચ–એમાં અક્ષય છગન ડાંગરિયા તથા રીન્કલ રવિ મારકણા રહે. જામનગરની વિરુદ્ધ બીએનએસ કલમ ૧૦૩ તથા ૬૧(૨)(એ) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
ફોરવ્હીલ લઈને તેનો પીછો કર્યો હતો
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદી વૃધ્ધના પુત્ર રવિના પત્ની રીન્કલને અગાઉ તેના ઘરની સામે રહેતા આરોપી અક્ષય ડાંગરીયા સાથે પ્રેમ સબધં હોય અને આ પ્રેમસબંધના કારણે ફરીયાદીના પુત્ર રવિ અને આરોપી રીન્કલ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા જેના કારણે બંને આરોપીઓએ રવિને મારી નાખવા માટે કાવતરૂ રચ્યુ હતું. દરમ્યાન રવિ ધીરજલાલ મારકણા (ઉ.વ.૩૦) ગઇકાલે સાંજના સુમારે પોતાનું બુલેટ મોટરસાયકલ નં. જીજે૨૭ડીજે–૯૩૧૦ લઇને જામનગરથી કાલાવડ ગયેલ હતો ત્યારે આરોપી અક્ષય તેની ફોરવ્હીલ લઇને તેનો પીછો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં દર વર્ષે લીવરની બીમારીને કારણે ૨ લાખ લોકો જીવ ગુમાવે છે
April 19, 2025 02:47 PMઅમદાવાદ ક્લબો રાજપથ અને કર્ણાવતીને સભ્યોને સર્વિસ ટેક્સ રિફંડ પરત કરવા આદેશ
April 19, 2025 02:46 PMગુજરાતમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરના ૪૦ ટકા લોકોના લીવર ચરબીયુક્ત
April 19, 2025 02:44 PMબોગસ ઇનપુટ કેશ ક્રેડિટ કૌભાંડમાં બનાવટી ખાતા ખોલનાર બેંક કર્મીના જામીન મંજૂર
April 19, 2025 02:42 PMજુઓ પોરબંદરમાં ત્રણ ઘેટાને કઈ રીતે મળ્યું નવું જીવન
April 19, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech