સિહોરના ભંગારના વેપારીને મુંબઈનો ગઠીયો ભેટી ગયો

  • May 02, 2023 12:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રૂપિયા ૫૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં છતાં માલ ન મોકલ્યો વેપારીએ મુંબઈના શખ્સ વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી


સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા અને ભંગારની લે વેચ કરતા યુવાન સાથે મુંબઈના શખ્સે જસત આપવાના બહાના રોકડા રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવી છેતરપીંડી આચરતા સિહોરના વેપારીએ ભાવનગર સાયબરસેલમાં ફરિયાદ નોંધાવી હતી


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા અને ભંગારની લે વેચ કરતા અસ્ફાકભાઈ હનીફભાઇ સૈયદ એ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે અસ્ફાકભાઈ પર થોડા સમય પહેલા મુંબઈ થી શાહિદ અલી નામના શખ્સનો મોબાઈલ પર કોલ આવ્યો હતો અને પુછયું હતું કે તમારે જસત-ધાતુનો માલ જોઈએ છે જેમાં અસ્ફાકે બીજી વાર કોલ આવતા હા પાડેલ દરમ્યાન મુંબઈના શખ્સે માલ માટે એડવાન્સ પેમેન્ટ ની માંગણી કરતાં અસ્ફાકે ગુગલ-પે મારફતે પ્રથમ પાંચ હજાર ચૂકવ્યા હતાં બાદમાં બેંકના ખાતામાં રૂપિયા ૪૫ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતાં રૂપિયા ૫૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવા છતાં માલ ન મળતા અસ્ફાકે મુંબઈના શખ્સને અવારનવાર કોલ કરતાં એ શખ્સે વારંવાર ગલ્લા-તલ્લા કરી માલ ન મોકલી છેતરપીંડી આચરતા અસ્ફાકે સાયબરસેલ માં ફરિયાદ નોંધવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application