ઓખામાં ૪૨ વર્ષના માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
ઓખામાં ૪૨ વર્ષના માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
April 25, 2026 12:29 PM
ઓખામાં ૪૨ વર્ષના માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
બોટમાં સુતા બાદ નિંદ્રાવસ્થામાં એટેક આવ્યો
ઓખા વિસ્તારમાં વધુ એક યુવાનનું હાર્ટના હુમલાથી મૃત્યુ નિપજયાનું સામે આવતા શોકનુ મોજુ પ્રસરી ગયુ છે, અગાઉ અને તાજેતરમાં હૃદયરોગના હુમલાના બનાવ સામે આવી ચુકયા છે.
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રહીશ બહાદુભાઈ ભાણાભાઈ હળપતિ નામના ૪૨ વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે ઓખાથી આશરે ૨૦ નોટિકલ દૂર દરિયામાં ભોલેનાથ નામની બોટમાં સુતા બાદ ઊંઘમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ દશરથભાઈ નાનુભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.