લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે ચોક બજાર વિસ્તારમાં ફુલવાડી રોડ પરથી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે અબુબકર ટીમોલ (27 વર્ષ)ની અટકાયત કરી હતી. તેના પર દેશના હિન્દુત્વવાદી નેતાઓ અને ભાજપના નેતાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનો અને તેમને ડરાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.
ગુજરાત પોલીસનો દાવો છે કે મૌલવીના મોબાઈલ ફોન ચેટિંગમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. તે પૂર્વ બીજેપી નેતા નુપુર શર્મા, બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ, હિન્દુત્વ નેતા ઉપદેશ રાણા અને અવધેશની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.
હિંદુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા સુરતના ગોડાદરાની સાંઈ સૃષ્ટિ બિલ્ડિંગમાં રહે છે. આ વર્ષે 4 જાન્યુઆરીના રોજ રાત્રે 10:30 વાગ્યે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ફોન ઉપાડતા જ કહ્યું કે, 'ઉપદેશ, તું સુરતમાં ક્યાં છુપાયો છે, તારું સરનામું જણાવ. જો તમે નહીં કહે, તો અમે તને શોધી જ લેશું, આમેય અમારું આખું ગ્રુપ સુરત પહોંચી ગયું છે. તમારી ગરદન કાપી લેશું. ધમકી મળ્યા બાદ ઉપદેશે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે પોલીસે અબુબકર પાસે રહેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો. મૌલવી અબુબકર પાકિસ્તાન અને નેપાળ સહિત ઘણા દેશોમાં રહેતા કટ્ટરપંથીઓના સંપર્કમાં હતો. ઉપદેશ રાણાને મારવા માટે 1 કરોડ રૂપિયાની સોપારી આપવાની અને પાકિસ્તાનથી હથિયારો મંગાવવાની ચેટ્સ પણ તેના મોબાઈલ ફોન પરથી મળી આવી હતી. તે ઓનલાઈન લુડો ગેમ પર ચેટિંગ કરીને હથિયારો માંગતો હતો. તે ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્મા, બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ અને અન્ય ઘણા હિન્દુત્વવાદી નેતાઓને મારી નાખવા અને ધમકી આપવાનું કાવતરું ઘડી રહ્યો હતો.
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એક વ્યક્તિનું કૃત્ય રાષ્ટ્ર વિરોધી છે. એટલા માટે તેના પર નજર રાખવામાં આવી રહી હતી. તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમે આરોપીના ફોન નંબર, હથિયારોના મૂળ અને આરોપીની યોજના વિશે અન્ય સંબંધિત વિગતોની તપાસ કરી રહ્યા છીએ. આ ગુનામાં રાજ્ય, દેશ કે અન્ય કોઈ જગ્યાએથી અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે જાણવા માટે આરોપીની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે.
માત્ર 27 વર્ષનો મૌલવી સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાના કઠોર ગામનો રહેવાસી છે. તે દોરા બનાવતી કંપનીમાં કામ કરે છે. તે પોતાના ખર્ચે મુસ્લિમ બાળકોને ધાર્મિક શિક્ષણ પણ આપે છે. તેથી જ લોકો તેને મૌલવી કહે છે. મૌલવી છેલ્લા દોઢ વર્ષથી સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના ડોંગર અને નેપાળની સેહનાઝના સંપર્કમાં હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech