ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહેલના ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા થયાના સમાચાર સામે આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં પહોંચી ઔપચારિકતાઓ પૂરી કરી હતી. લાંબા સમયથી એવી અફવાઓ સામે આવી રહી હતી કે, બંને હવે એક બીજાથી અલગ થઈ ગયા છે. હવે આ સમાચાર પર મંજૂરી મહોર લાગી હોય એમ ચહલ અને ધનશ્રી અલગ થઈ ગયા છે. ચહલ અને ધનશ્રીનો સંબંધ 4 વર્ષ પહેલા શરૂ થયો હતો. બંનેએ 22 ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા.
યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ પણ કરી છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે, તેની જિંદગીમાં કોઈ મોટી ઘટના ઘટી છે. ચહલે લખ્યું કે, તે જેટલો બચી શકે છે, ભગવાને તેનાથી વધુ તેને બચાવ્યો છે. ધનશ્રી વર્માએ પણ કંઈક આવી જ પોસ્ટ કરી છે. ધનશ્રીએ લખ્યું કે, કેવી રીતે ભગવાન ચિંતાઓને ખુશીઓમાં ફેરવી નાખે છે. ધનશ્રીએ લખ્યું કે જો કોઈ વસ્તુને લઈને ટેન્શનમાં છો તો જાણી લો કે તેના માટે તમારી પાસે વિકલ્પ છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા પછી ધનશ્રી વર્માને 60 કરોડ રૂપિયા એલિમની આપવાનો છે, જોકે તેની પુષ્ટિ થઈ નથી.
જો ગત 2 વર્ષની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના 3 ખેલાડીઓના છૂટાછેડા થઈ ચૂક્યા છે. પહેલા શિખર ધવન-આયશા મુખર્જીથી અલગ થયો, ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા અને હવે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના માર્ગ અલગ અલગ થઈ ગયા છે. બીજી બાજુ વીરેન્દ્ર સહેવાગ જેવા દિગ્ગજ ખેલાડીના જીવનમાં પણ ઉથલપાથલના સમાચાર સામે આવી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર તે પણ પોતાની પત્ની આરતી અહલાવતથી અલગ થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech