યુવા અગ્રણી જીતુભાઈ લાલે વધુ એક સંસ્થાની જવાબદારી સ્વૈચ્છીક રીતે છોડીને સત્તા ત્યાગનુ વધુ એક ઉદાહરણ પુંરૂ પાડયું

  • March 05, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં કાર્યરત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વી.વાય.ઓ.)ના સ્થાનિક એકમના પ્રમુખપદે રહેલા શ્રી જીતુભાઈ લાલે નવા વ્યકિતઓને સ્થાન મળી શકે તે માટે સ્વેચ્છીક નિવૃતી લીધી છે.


આ પહેલા તેઓએ જામનગર લોહાણા મહાજન તેમજ જામનગરની અગ્રણી વ્યાપારી સંસ્થા ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના પ્રમુખપદેથી તથા જામનગર જલારામ જયંતિ મહોત્સવ સમિતિના પદેથી સ્વેચ્છીક રીતે ત્યાગ કરી ચુકયા છે હવે વી.વાય.ઓ.જામનગર શહેરના પ્રમુખ તરીકે રાજીનામું આપીને ચોથી સંસ્થાને નવા સૂકાનીઓ મળી શકે તે માટે સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application