કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મથુરભાઈ ડાભી નામના 36 વર્ષના સતવારા યુવાન તેમના જી.જે. 10 બી.ઈ. 9047 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાટીયા - હર્ષદ રોડ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 એફ 5835 નંબરના મોટરસાયકલના ચાલક દેવશી કાનાભાઈ કોટાએ મનસુખભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગોપાલભાઈ મથુરભાઈ ડાભી (ઉ.વ. 38, રહે. જામનગર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે બાઈક ચાલક દેવશી કાનાભાઈ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.આર. શુક્લા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં બાવળની જાળીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો
દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામે આવેલી એક હોટેલ નજીક બાવળની જાળીમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા દ્વારકા પોલીસે આ સ્થળે દોડી જઈ અને ઉપરોક્ત મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
આશરે 30 થી 35 વર્ષની વયનો આ યુવાન ભૂલથી અથવા ઠંડીના કારણે મૃત્યુ પામ્યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જે અંગે બરડીયા ગામના સુનિલભા માણેક (ઉ.વ. 30) ની નોંધ પરથી દ્વારકા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ તથા મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech