અકવાડામાં સપ્તાહની પોથીયાત્રાના ચડાવા બાબતે યુવાન પર હુમલો

  • May 13, 2025 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની નજીક આવેલા અકવાડા ગામે થોડાક દિવસો અગાઉ સપ્તાહ બેસાડેલ હોય જેમાં પોથીયાત્રાનો ચડાવા બાબતે દાઝ રાખી દંપતિ સહિત પુત્રએ એક યુવાનના ઘરે જઈ લોખંડના પાઈપ વડે ગંભીર મારમારી, ઈજા કરી ફરાર થઇ જતાં યુવાને ત્રણેય વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અકવાડા ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે રામભાઈ રાઘવભાઈ બારૈયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ગામે થોડાક દિવસ અગાઉ ભાગવત સપ્તાહ હોય જેમાં પોથીયાત્રાનો ઉચો ચડાવો બોલતા ગામમાં રહેતા વિશાલ ઉર્ફે ડુંગણી અરજણભાઈ જેઠવા, અરજણ જેઠવા તેમજ હર્ષાબેન જેઠવાએ તે બાબતની દાઝ રાખી રમેશભાઈ તેની રૂમ પર હતા તે વેળાએ આ ત્રણેય ત્યાં ધસી આવી, રામભાઈ ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી, ગંભીર મારમારી ફરાર થઇ ગયા હતા જે બાબતે રામભાઈએ ત્રણેય વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application