ડોનાલ્ડ ટ્રમ્પે અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પાછા ફરવામાં મદદ કરવા માટે વ્યક્તિગત રીતે અવકાશમાં બચાવ ટીમ મોકલવાની વાત કરી છે. આ સાથે ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન પર પણ નિશાન સાધ્યું અને બંનેના પરત ફરવામાં વિલંબ માટે જવાબદાર ઠેરવ્યા.
તેમણે કહ્યું કે તે આઠ દિવસનું મિશન હતું પરંતુ બાઈડેનના કારણે તે નવ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે.ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બાઈડેન તેમને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા. આપણા બે અવકાશયાત્રીઓ અવકાશમાં ફસાયેલા છે. મેં ઈલોન મસ્કને પૂછ્યું કે શું તે મારા માટે એક કામ કરશે. શું તમે તેમને બહાર કાઢી શકો છો? તેણે કહ્યું- 'હા.' મસ્ક હવે ઉપર જવા માટે તૈયાર થઈ રહ્યા છે, મને લાગે છે કે કામ બે અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે મસ્ક હાલમાં તેમને લાવવા માટે એક જહાજ તૈયાર કરી રહ્યા છે.
ટ્રમ્પ વિલિયમ્સ અને વિલ્મોર વિશેના પ્રશ્નના જવાબમાં કહ્યું જેઓ છેલ્લા નવ મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા છે. એ દરમિયાન ટ્રમ્પે સુનિતાના વાળના પણ વખાણ કર્યા. તેણે કહ્યું કે હું જોઉં છું કે સુનિતાના વાળ ખૂબ જાડા છે, તેના વાળ ખૂબ જ સુંદર છે. ટ્રમ્પે કહ્યું હું મજાક નથી કરી રહ્યો, તેના વાળ ખૂબ સુંદર છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બંને અવકાશયાત્રીઓ માટે તેમનો સંદેશ શું છે, ત્યારે ટ્રમ્પે કહ્યુ અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે તમને લેવા આવી રહ્યા છીએ. અને તમારે ત્યાં આટલો લાંબો સમય રોકાવું જોઈતું ન હતું. બાઈડેનને ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવતા ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને સાથે યોગ્ય વર્તન કર્યું નથી પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ કંઈપણ ખોટું થવા દેશે નહીં. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ગમે તે થાય, અમે તમને બહાર કાઢીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech