દરેડ શિવમ પાર્ક ખાતે એક તણે ફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી
જામજોધપુર વાડી વિસ્તારમાં રાણાવાવના એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે તેની પ્રેમીકા છોડીને ચાલી જતા આ બાબતનું મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધુ હતુ, બીજા બનાવમાં દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં પરપ્રાંતિય શ્રમિક તરુણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણાં ગામના વતની નિતેશ કરસનભાઈ મકવાણા નામના ૨૪ વર્ષના યુવાને જામજોધપુરના વાડી વિસ્તારમાં આવીને ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતાં જામજોધપુરનો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતક યુવાનના પિતા કરસનભાઈ ડાયાભાઈ મકવાણાનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને પોરબંદરની મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ તાજેતરમાં પ્રેમિકા પોતાને તરછોડીને જતી રહેતા આ વાતનું મનમાં લાગી આવતા પગલુ ભરી લીધુ હતું જે વિગતોના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ખોખરાના સરપંચે બ્રાંચ પોસ્ટ માસ્તરને માર માર્યાની રાવ
June 05, 2025 03:57 PMઢૂંઢસર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા, ચાર શખ્સો નાસી છૂટ્યા
June 05, 2025 03:53 PMજુના બંદર રોડ પરથી ટ્રકમાંથી રુપીયા ૧૨ લાખની કિંમતના કોપરની ચોરી
June 05, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech