જામજોધપુરમાં પ્રેમિકા છોડીને ચાલી જતાં યુવાનનો ગળાફાંસો

  • April 11, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડ શિવમ પાર્ક ખાતે એક ત‚ણે ફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી


જામજોધપુર વાડી વિસ્તારમાં રાણાવાવના એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે તેની પ્રેમીકા છોડીને ચાલી જતા આ બાબતનું મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધુ હતુ, બીજા બનાવમાં દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં પરપ્રાંતિય શ્રમિક તરુણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી  લીધી હતી.


મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણાં ગામના વતની નિતેશ કરસનભાઈ મકવાણા નામના ૨૪ વર્ષના યુવાને જામજોધપુરના વાડી વિસ્તારમાં આવીને ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 


આ બનાવની જાણ થતાં જામજોધપુરનો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતક યુવાનના પિતા કરસનભાઈ ડાયાભાઈ મકવાણાનું નિવેદન નોંધ્યું હતું.


જેમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને પોરબંદરની મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ તાજેતરમાં પ્રેમિકા પોતાને તરછોડીને જતી રહેતા આ વાતનું મનમાં લાગી આવતા પગલુ ભરી લીધુ હતું જે વિગતોના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે.


બીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના વતની અને હાલ જામનગર ના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા શિવમ પાર્ક પ્લોટ ખાતે જય અલખધણી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના ખાતે રહેતા બંટી તુલશીરામ કશ્યપ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર લોખંડની આડશમાં ગમછો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

જે બનાવ અંગે તેજ કારખાનામાં કામ કરતા હેમરાજભાઈ તુલસીભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ બનાવના દોડી ગયો હતો, અને પરપ્રાંતિ શ્રમિકના મૃતદેહનો કબજો સંભાળી, તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application