યુટ્યુબર અરમાન મલિકે આખરે બાળકોના મુસ્લિમ નામ બદલી નાખ્યા

  • May 24, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બાળકોના મુસ્લિમ નામો રાખવાને કારણે બે પત્નીધારી અરમાન થઇ રહ્યો હતો ટ્રોલ
  • બીજી પત્ની કૃતિકાએ તુબા અને ઝૈદના નામ હિન્દુ રાશિ મુજબ રાખવાની માહિતી આપી


બે પત્ની, જોડિયા બાળકો સહિત 4 સંતાનોના પિતા યુટ્યૂબર અરમાન મલિકે આખરે સમાજની નારાજગી જોઇ પોતાના બાળકોના મુસ્લિમ નામ બદલી હિન્દુ રાશિ પ્રમાણે કરી નાંખ્યા. આમ તો પહેલાં તેણે બહુ વટ સાથે કહ્યું હતું કે તેના સંતાનોને સર્વધર્મ નામોથી ઓળખાવશે. પરંતુ આજના સંવેદનશીલ સમયમાં તેની ઘણી ટીકા થઇ અને આખરે તેણે નમતુ જોખ્યું.


બે પત્નીઓ વાળો ફેમસ યુટ્યુબર અરમાન મલિક થોડા સમય પહેલા જ  ત્રણ બાળકોનો પિતા બન્યો છે. હાલમાં જ અરમાનની પહેલી પત્ની પાયલે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.  પાયલ પહેલા બીજી પત્ની કૃતિકાએ પણ એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્રણ બાળકોના આગમન બાદ મલિક પરિવારમાં ખુશી અને હલચલ વધી ગઈ હતી. પરંતુ જેવા યુટ્યૂબરે બાળકોના નામ મુસ્લિમ રાખતા તેને નેટિઝન્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતુ.


અરમાને બીજી પત્ની કૃતિકાના પુત્રનું નામ ઝૈદ રાખ્યું, જ્યારે પાયલના જોડિયાનું નામ તુબા અને અયાન રાખ્યા. આ નામો બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો. ટ્રોલ્સે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું કે 'હિંદુ બાળકોને મુસ્લિમ નામ શા માટે આપવામાં આવ્યા છે?' જોકે, સોશિયલ મીડિયા પર હંગામો થયા બાદ મલિક પરિવારે તેમના બાળકોના નામ બદલી નાખ્યા છે.


યુટ્યુબર અરમાન મલિક અને તેની બંને પત્નીઓએ હવે તેમના ત્રણેય બાળકોના નામ હિન્દુ રાખવાનો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા જ તેણે ફેન્સ પાસેથી સજેશન્સ પણ માંગ્યા હતા. જોકે, ભારે હંગામો થયા બાદ આખરે મલિક પરિવારે પોતાના બાળકોના નામ બદલી નાખ્યા છે.


તેના બાળકોના નામોને લઈને તેને સોશિયલ મીડિયા પર ઘણી ખરી-ખોટી સાંભળવા મળી. લોકોની ફરિયાદ હતી કે હિન્દુ હોવા છતાં બાળકોના મુસ્લિમ નામ કેમ રાખવામાં આવ્યા છે? શું હિન્દુ નામો સારા નથી હોતા? મલિક પરિવારે હવે સોશિયલ મીડિયા પર ઉઠેલી લોકોની આ ફરિયાદને દૂર કરી છે અને નિર્ણય લીધો છે કે તેઓ તેમના બાળકોના નામ બદલી નાંખશે.


યુટ્યુબરની પહેલી પત્ની પાયલ મલિકે લેટેસ્ટ બ્લોગમાં બાળકોના નામ બદલવાની જાણકારી આપી છે. તેણે કહ્યું કે રાશિ પ્રમાણે ત્રણેય નવજાત બાળકોના નામ રાખવામાં આવશે. બ્લોગમાં પાયલ કોલ પર અરમાન મલિકને કહેતી જોવા મળે છે કે તેણે બાળકોનું નવું નામકરણ કર્યુ છે. પાયલ કહે છે કે ઝૈદનું નામ પ અક્ષર પરથી પાડવામાં આવશે અને તેનું નામ 'પાર્થ' રાખવામાં આવશે. અરમાન તરત જ કહે છે કે ઝૈદનું નામ 'પૃથ્વી' હશે.



બીજી તરફ, પાયલ અરમાનને કહે છે કે તુબાનું નામ હિંદુ રાશિ પ્રમાણે ક અક્ષર પરથી પાડવા આવશે અને તેઓએ કિયારા અથવા કાશવીમાંથી એક નામ ફાઇનલ કરવાનું છે. અરમાને તુબાનું નામ કિયારા તરીકે ફાઈનલ કર્યું. હવેથી તુબાને કિયારા અને ઝૈદને પૃથ્વી નામથી બોલાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application