અમેરિકન કોફી બ્રાન્ડ સ્ટારબક્સ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. કંપનીએ એક નવો નિયમ બહાર પાડ્યો છે, જેના હેઠળ તમે ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરવા માંગતા હોવ કે વોશરૂમનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમે કેફેમાંથી કંઈક ખરીદ્યા વિના આમ કરી શકશો નહીં. તેનો અર્થ એ કે, જો તમે સ્ટારબક્સમાં પ્રવેશ કરો છો, તો તમારે તેમની સેવાનો લાભ લેવો પડશે. આ નવો નિયમ 27 જાન્યુઆરીથી લાગુ થશે.
સ્ટારબક્સે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપની તેની નીતિમાં ફેરફાર કરવા જઈ રહી છે, જે હેઠળ પહેલા કોઈપણ તેના સ્ટોર્સમાં પ્રવેશી અથવા બહાર નીકળી શકતું હતું. જોકે, નવા નિયમો હેઠળ, ફક્ત ચૂકવણી કરનારા ગ્રાહકોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. સ્ટારબક્સના પ્રવક્તા જેસી એન્ડરસને જણાવ્યું હતું કે, ઘણા રિટેલ સ્ટોર્સમાં આ નિયમ પહેલાથી જ અમલમાં છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા સ્ટોરમાં આવતા ગ્રાહકો અનુકુળ વાતાવરણ અનુભવે. આ માટે, અમે યોગ્ય વાતાવરણ બનાવવા માંગીએ છીએ.
કંપનીના નવા નિયમ હેઠળ, કેફેમાં બેસીને દારૂ પીવો, ધૂમ્રપાન કરવું, ડ્રગ્સનો દુરુપયોગ વગેરે પર હવે કડક નજર રાખવામાં આવશે. જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેને તાત્કાલિક કેફે છોડી દેવાનું કહેવામાં આવશે. જરૂર પડશે તો પોલીસની પણ મદદ લેવામાં આવશે. હવે કેફેના સ્ટાફને તાલીમની સાથે આ નવા નિયમ વિશે માહિતી આપવામાં આવશે.
હકિકતમાં, 2018માં, પોલીસે ફિલાડેલ્ફિયાના સ્ટારબક્સ સ્ટોરમાંથી બે અશ્વેત લોકોની ધરપકડ કરી હતી. આ સ્ટોર મેનેજરની સૂચના પર કરવામાં આવ્યું હતું. તે બંને દુકાનમાંથી કંઈ ખરીદી રહ્યા ન હતા કે પોતાના સ્થળેથી ખસી રહ્યા ન હતા. જાતિગત ભેદભાવનો આ મામલો ચર્ચામાં આવતાની સાથે જ કંપનીએ તેની વેબસાઇટ પર માફી માંગવી પડી હતી. આ પછી, કંપનીએ પોતાનો નિયમ બદલ્યો, જેના હેઠળ કોઈપણને સ્ટારબક્સ કેફેમાં મંજૂરી આપી હતી, પરંતુ હવે કંપનીએ આ નિયમ ફરીથી બદલ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech