જમ્મુ-કાશ્મીરના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પાકિસ્તાન સમર્થિત પાર્ટીઓ સાથે છે અને તેનો અસલી ચહેરો અનામત વિરોધી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, "હું અયોધ્યા ધામની ધરતી ઉત્તર પ્રદેશથી તમારી પાસે આવ્યો છું. અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે અને જમ્મુમાં રામગઢ તેમના નામ પર બનેલું છે." કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ લાંબા સમયથી સત્તામાં હોવા છતાં તેણે અયોધ્યા સમસ્યાનો ઉકેલ આવવા દીધો નથી.
પીએમ મોદીના વખાણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે બધાએ મોદીજીમાં વિશ્વાસ કર્યો અને 500 વર્ષ જૂની અયોધ્યાની સમસ્યાનો ઉકેલ આવી ગયો જાણે તે કોઈ સમસ્યા જ ન હોય. યોગીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસનું નામ જ સમસ્યા છે અને ભાજપનું નામ જ તેનું સમાધાન છે. કોંગ્રેસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, "દેશમાં આજે જ્યાં પણ આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદની સમસ્યાઓ છે, કોંગ્રેસે આ બધાને પોષવાનું કામ કર્યું છે. કોંગ્રેસે હિન્દુઓને નબળા પાડવાનું કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં છે, ત્યારે ત્યાં સરકાર હતી અને જમ્મુ-કાશ્મીરમાં તેને સમર્થન આપતી સરકારો હતી, અહીં જે ઘટનાઓ બની તે કોઈનાથી છુપાયેલી નથી."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા મંદિરમાં મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોતી મહિલાઓનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ
May 16, 2025 03:36 PMછત્તીસગઢમાં દેશના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રકનું લોન્ચિંગ
May 16, 2025 03:30 PMકુખ્યાત શખસ અજય પરસોંડાના મકાન પર બપોરબાદ બુલડોઝર ફેરવી દેવાશે
May 16, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech