વાંકાનેરથી લજાઈ ચોકડી સુધીના બિસમાર સ્ટેટ રોડ તાકિદે નવો બનાવવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

  • May 24, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લાના વાંકાનેરથી લજાઈ ચોકડી (વાય જડેશ્ર્વર મહાદેવ મંદિર)નો રાજ્ય સરકારનો સ્ટેટ રોડને નવો બનાવી આપવા કિશાન કોંગ્રેસના અગ્રણી ફા‚કભાઈ અબ્દુલભાઈ કડીવાર તથા કોઠારિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હસીદાબેન એફ.કડીવાર દ્વારા ઉપરોકત સ્ટેટ રોડ તાકિદે ચોમાસા પહેલા નવો બનાવી આપવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ મુખ્ય રોડ પર આવતા રાતીદેવળી, પંચાસિયા, વાંકિયા, જડેશ્ર્વર મહાદેવ મંદિર, હડમતિયા, કોઠારિયા ટોળ સહિતના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત ખાડા-ખબડા તારવવા મથતા પ્રજાજનોને વારંવાર અકસ્માતોનો ભોગ બનવું મુકે છે. અને મહામુલી જિંદગી જોખમમાં મુકવી પડતી હોય છે.કોંગ્રેસના અગ્રણી ફા‚કભાઈ કડીવાર તથા કોઠારિયા ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ હમીદાબેન કડીવાર દ્વારા સંયુકત રજૂઆત માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેકટર શકીલભાઈ પીરઝાદા દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન પટેલને રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application