નાગેશ્વર મહાદેવનું પૂજાન કરતાં તમિલ બાંધવો

  • April 24, 2023 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત દ્વારકા ખાતે પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોએ દારુકાવન સ્થિત નાગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોના "હર હર મહાદેવ" હર્ષનાદ સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે તમિલ બાંધવોએ મહાદેવની સામે શીશ ઝુકાવીને વંદના કરી હતી.  પરિસરમાં આવેલી શિવજીની વિશાળ પ્રતિમા જોઈને તમિલ બાંધવોએ બંને હાથ જોડીને વંદન કર્યા હતા. મહાશિવના દર્શન કરીને સૌરાષ્ટ્રીયન તમિલો્ ભાવવિભોર બની ગયા હતા. નાગેશ્વર મંદિરની પ્રદક્ષિણા કરીને તમિલ બાંધવોએ ધન્યતા અનુભવી હતી.  વડવાઓના મૂળ વતન પર પધારેલા તમિલોએ વિવિધ પવિત્ર યાત્રાધામોની મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો્.
**
દ્વારકામાં રૂકમણી માતાના મંદિરે દર્શન કરતા સૌરાષ્ટ્રીયન તમિલો
સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત શનિવારે ૩૦૦ જેટલા મહેમાનો દ્વારકાના મહેમાન બન્યા હતા. તમિલ બાંધવો રૂકમણી માતાના પૌરાણિક મંદિરે રૂકમણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેઓએ ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણી માતા જીવન સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ જાણી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application