જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવ્યો છે. ભારતે આજે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ભારતીય સેનાના નિવેદનમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે કોઈપણ પાકિસ્તાની નાગરિક, લશ્કરી અથવા આર્થિક માળખાને નુકસાન થયું નથી, જે આતંકવાદ વિરોધી પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઓપરેશન સિંદૂર પછી ભારતના નેતાઓ સહિત વિશ્વના અગ્રણી નેતાઓએ તેના વિશે નિવેદન આપ્યા છે.
દુનિયાએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ: વિદેશ મંત્રી
ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના થોડા કલાકો પછી વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વને એક વાક્યનો સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે ‘દુનિયાએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ.’
ડોનાલ્ડ ટ્રમ્પે ઓપરેશનને શરમજનક ગણાવ્યું, ‘ખૂબ જ જલ્દી’ સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર પ્રતિક્રિયા આપતા તેને શરમજનક ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે તે ‘ખૂબ જ જલ્દી’ સમાપ્ત થશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું તે શરમજનક છે, અમે હમણાં જ તેના વિશે સાંભળ્યું... મને લાગે છે કે ભૂતકાળના થોડાક ભાગને આધારે, લોકો જાણતા હતા કે કંઈક થવાનું છે. તેઓ લાંબા સમયથી લડી રહ્યા છે.
વોશિંગ્ટન ‘શાંતિપૂર્ણ ઉકેલ’ માટે પરમાણુ સશસ્ત્ર એશિયન પડોશીઓ સાથે વાટાઘાટો ચાલુ રાખશે: માર્કો રુબિયો
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે વોશિંગ્ટન ‘શાંતિપૂર્ણ ઉકેલ’ માટે પરમાણુ સશસ્ત્ર એશિયન પડોશીઓ સાથે વાટાઘાટો ચાલુ રાખશે. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે યુએસ સેક્રેટરી સ્ટેટ રુબિયો સાથે વાત કરી હતી અને તેમને ભારતની લશ્કરી કાર્યવાહી વિશે માહિતી આપી હતી.
ઇઝરાયેલે ભારતના સ્વ-બચાવના અધિકારનું સમર્થન કર્યું
ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે જણાવ્યું હતું કે ઇઝરાયલ ભારતના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપે છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે ઇઝરાયલ ભારતના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપે છે. આતંકવાદીઓએ જાણવું જોઈએ કે નિર્દોષો સામેના તેમના જઘન્ય ગુનાઓથી તેમની પાસે છુપાવવા માટે કોઈ જગ્યા નથી.
યુએઈના વિદેશ મંત્રીએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા, તણાવ ઓછો કરવા હાકલ કરી
યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાનના એક નિવેદન અનુસાર યુએઈએ ભારત અને પાકિસ્તાનને ‘સંયમ રાખવા, તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે જોખમી બની શકે તેવા તણાવને વધવાથી બચવા’ હાકલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૈષ્ણો દેવી દરબારમાં પહેલગામ હુમલા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો
May 12, 2025 10:18 AMઆઈપીએલ 16 કે 17 મેના રોજ ફરી શરૂ થવાની શક્યતા
May 12, 2025 10:15 AMયુદ્ધવિરામનું શું થશે? આજે ભારત અને પાકિસ્તાનના DGMO ફરી હોટલાઇન પર વાત કરશે
May 12, 2025 09:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech