TCLએ ભારતમાં વિશ્વનું સૌથી મોટું QD Mini LED TV લોન્ચ કર્યું છે. આ ટીવી 115 ઇંચ સ્ક્રીન સાઇઝમાં આવે છે. તેમાં 20 હજારથી વધુ ડિમિંગ ઝોન છે, જેના કારણે કલર તમને રિયલ લાગે છે. આ ટીવી AI પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, જે પિક્ચર અને ઓડિયો ક્વોલિટીમાં સુધારો કરે છે. જોકે, આ ટીવીની કિંમત જાણી તમારા હોંશ ઊડી જશે.
આ LED ટીવીની કિંમત 30 લાખ રૂપિયા છે. આટલા રૂપિયામાં તો એક એક્સયુવી કાર આવી જાય. આ ટીવીમાં હાઇ-ફાઇ ઓડિયો સિસ્ટમ સિનેમા ગ્રેડનો અનુભવ આપે છે. ઉપરાંત ગેમિંગ માટે પાવરફુલ સુવિધાઓ પણ આપવામાં આવી છે. તમે તેને રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો. સાથે જ તમને કંપની 75 ઇંચનું QLED ટીવી ફ્રીમાં આપશે. જોકે, આ ઓફર મર્યાદિત સમય માટે છે.
સ્પેસિફિકેશન્સ શું છે?
આ LED ટીવીમાં 115-ઇંચ 4K રિઝોલ્યુશન સ્ક્રીન છે, જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ટીવી HDR5000 Nits, HDR10+,TUV બ્લુ લાઇટ અને TUV ફ્લિકર ફ્રી સપોર્ટ સાથે આવે છે. આ બધી સુવિધાઓ તમને થિએટર જેવો જ અનુભવ આપશે.
આ ટીવીમાં T-સ્ક્રીન અલ્ટ્રા ટેક્નોલોજી મળે છે. આ ટીવી એ બ્રાન્ડનું સૌથી અદ્યતન ટીવી છે. તેમાં AiPQ Pro પ્રોસેસર આપવામાં આવ્યું છે. વીડિયો, પિક્ચર ક્વોલિટી અને ઓડિઓ ક્વોલિટી માટે AI સંચાલિત પ્રોસેસિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ONKYO 6.2.2 હાઇ-ફાઇ ઓડિયો સિસ્ટમ છે.
આવા ફિચર્સ છે
ગેમિંગના રસિયાઓ માટે ખાસ
જો તમને ગેમિંગ ગમે છે, તો આ ટીવી તમારા અનુભવને અનેકગણો વધારશે. ગેમિંગ માટે તેમાં ગેમ માસ્ટર ટેક્નોલોજી આપવામાં આવી છે. તેમાં ALLM સપોર્ટ પણ આપવામાં આવે છે. ઉપરાંત, મલ્ટિ-વ્યૂ 2.0 મળશે જેની મદદથી તમે ટીવી પર એકસાથે બે અલગ અલગ કન્ટેન્ટ ચલાવી શકો છો. આ સાથે કંપની એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી આપી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech