વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ યમનના સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માંડ માંડ બચ્યા હતા. આ હુમલામાં લગભગ બે લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. ડો. ટેડ્રોસ તેમના સંયુક્ત રાષ્ટ્ર (યુએસ) અને ડબ્લ્યુએચઓના સાથીદારો સાથે ફ્લાઇટમાં સવાર થવાના હતા અને આ જ ક્ષણે હુમલો થયો. આ દરમિયાન ફ્લાઈટના ક્રૂના એક સભ્ય અને ડ્રાઈવરને ઈજા થઈ હતી.
અમારા પ્લેન પર એક હવાઈ બોમ્બમારો થયો
ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડનોમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુએન સ્ટાફ અટકાયતીઓની મુક્તિ માટે વાટાઘાટ કરવા અને યમનમાં આરોગ્ય અને માનવતાવાદી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેનું અમારું મિશન આજે સમાપ્ત થયું. અમે અટકાયતીઓની તાત્કાલિક મુક્તિ માટેના પ્રયાસો ચાલુ રાખીશું. લગભગ બે કલાક પહેલા, જ્યારે અમે સનાથી અમારી ફ્લાઇટમાં રવાના થયા હતા, ત્યારે અમારા પ્લેન પર એક હવાઈ બોમ્બમારો થયો હતો.
અમે સહકર્મીઓ સાથે સુરક્ષિત છીએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ પર બે લોકોના મોતની જાણ કરવામાં આવી છે. રવાના થતા પહેલા એરપોર્ટને થયેલા નુકસાનની મરામત ન થાય ત્યાં સુધી અમારે રાહ જોવી પડશે. હું, મારા યુએન અને ડબ્લ્યુએચઓ સહકર્મીઓ સુરક્ષિત છીએ.
આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા હાકલ કરી
યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા હાકલ કરી. આ સિવાય તેમણે ભારપૂર્વક કહ્યું કે નાગરિકો અને માનવતાવાદી કામદારોને ક્યારેય નિશાન બનાવવું જોઈએ નહીં.યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે યમન અને ઇઝરાયેલ વચ્ચે તાજેતરના તણાવમાં થયેલા વધારા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેણે યમનમાં સનાના એરપોર્ટ, રેડ સી પોર્ટ અને પાવર પ્લાન્ટ પર થયેલા હવાઈ હુમલાને પણ ખતરનાક ગણાવ્યા હતા.
આ હુમલા હુથી લશ્કરી માળખા પર કરવામાં આવ્યા હતા
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ અનુસાર, ઇઝરાયેલની વાયુસેનાએ પશ્ચિમ કાંઠા અને યમનમાં હુથી બળવાખોરોના લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો. આ હુમલા હુથી લશ્કરી માળખા પર કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તેની લશ્કરી પ્રવૃત્તિઓ માટે થાય છે. લક્ષિત સ્થળોમાં સના ઇન્ટરનેશનલ એરપોર્ટ, હિજાઝ, રાસ કનાતિબ પાવર સ્ટેશન, તેમજ પશ્ચિમ કાંઠે અલ-હુદાયદાહ, સલીફ અને રાસ કનાતિબ બંદરોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech