ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ માહિતીઓ અપાઈ
ગુજરાતમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપન તથા દરિયાની ખારાશને આગળ વધતી અટકાવવાના ભાગરૂપે લોકોમાં જાગૃતિ લાવવા માટેનું આયોજન જુદા જુદા વિસ્તારોમાં થઈ રહ્યું છે. તે અંતર્ગત ખંભાળિયામાં પણ એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજ સ્થિત સંસ્થા સાથે ખંભાળિયા નજીક આવેલી નયારા એનર્જી, વિન ફાઉન્ડેશન, અજીમ પ્રેમજી ફાઉન્ડેશન, કોસ્ટલ સેલીનિટી પ્રિવેન્શન સેલ તથા અન્ય સંસ્થાઓના ઉપક્રમે ખંભાળિયામાં જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે આ કાર્ય શાળા યોજાઈ હતી. આ કાર્યક્રમનો પ્રારંભ જળ આહુતિથી કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ તથા ઉપયોગીતા સમજાવતા સંસ્થાના ડાયરેક્ટર ડો. યોગેશએ જણાવ્યું હતું કે દરિયાના કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખારાશ આગળ વધતી જાય છે. ચિંતાજનક બાબત તો એ છે કે કેટલાક સ્થળોએ તો ૩૫-૪૦ કિલોમીટર અંતર સુધી આ ખારાશ આગળ પહોંચી ગઈ છે. જેના નિરાકરણ માટે ખંભાળિયાના દરિયાકાંઠાના પંદરેક જેટલા ગામોમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપનનું મોડેલ બનાવાય તો માળીયાથી ભાવનગર સુધીના વિસ્તારોમાં માર્ગદર્શક બને.
સરકારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા જી.ડબલ્યુ.આર.ડી.સી. દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે રિલાયન્સ ફાઉન્ડેશન, અંબુજા ફાઉન્ડેશન, ગીરગંગા ટ્રસ્ટ, વિગેરેની પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ડીસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા દરિયાઈ ખારશને આગળ વધતી અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા બાબતે અંગે સૂચનો તથા સહમતિ સાંપડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech