સિક્કામાં પુત્રીની સગાઈ અને લગ્નની ચિંતામાં શ્રમિકનો આપઘાત

  • March 04, 2025 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝાડમાં ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવતા પરિવારમાં ઘેરા શોકની લાગણી


જામનગર તાલુકાના સિક્કામાં આર્થિક સંકડામણ ના કારણે કરુણ બનાવ બન્યો છે. પોતાની પુત્રી ની સગાઈ અને લગ્નના પૈસાના ટેન્શનમાં તેમજ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી લીધી છે.આથી ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.


મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કામાં શ્રીજી સોસાયટીમાં રહીને મજૂરી કામ કરતા ઓમનાથસિંગ બિરાસિંગ રાજપૂત ઉ.વ.45 એ ગઇકાલે સવારે એક ઝાડમાં લટકીને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.


આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ સુરેશસિંગ રાજપૂતે પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ઓમનાથસિંગની મોટી પુત્રી નિધિકુમારી ઉંમર 20 ની નજીકના દિવસોમાં સગાઈ હતી, અને લગ્ન પણ લેવાના હતા. પરંતુ તેના માટેના પૈસાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાથી આર્થિક ટેન્શનના કારણે તેઓએ આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application