રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં તળાવ વધુ ઊંડા ઉતારવાની કામગીરી ધમધમી

  • May 20, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં તળાવ ઊંડા કરવાની કામગીરી ધમધમી રહી છે.
રાજય સરકાર દ્વારા ચોમાસા દરમ્યાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભુગર્ભ જળ દ્વારા વઘુમાં વઘુ રીચાર્જ થાય અને પાણીના જળ ઉંચા આવે  તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ભુગર્ભ જળના રીચાર્જ માટે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ,જળાશય,તળાવ ડીસીલ્ટીંગ, ડેમ અને નહેર મરામત અને જાળવણી, નહેર ડીસીલ્ટીંગ,નદી મરામત,વોકળાની સાફ સફાઈ સહિતનાં કામો કરવામાં આવી રહ્યાં છે. જે અંતગર્ત પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૫ અંતર્ગત મનરેગા યોજનામાં હેઠળ રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકા વિવિધ ગામોમાં તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
જેમાં રાણાવાવ તાલુકામાં દોલતગઢ, જાંબુ, રાણાકંડોરણા ગામોમાં તળાવ ઊંડું ઉતારવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ કુતિયાણા તાલુકામાં ફરેર, ધ્રુવાળા, માલણકા ગામોમાં તળાવ ઊંડું ઉતારવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને પોરબંદર તાલુકામાં કોલીખડા, બખરલા, રાતડી, અડવાણા, ટુકડામિયાણી, વડાળા ગામમાં તળાવ ઊંડું ઉતારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કુતિયાણા તાલુકાના અમર ગામ ખાતે ચેકડેમ ઊંડું ઉતારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application