હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા ૨'ના પ્રીમિયર દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા ૨'ના ક્રેઝે દેશભરના ચાહકોના દિલોદિમાગ પર કબજો જમાવ્યો છે. તેનું પ્રીમિયર હૈદરાબાદમાં અડધી રાત્રે યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ સ્થિત સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા.જેને જોવા માટે આતુર ભીડ બેકાબુ બની હતી.
આ દરમિયાન તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ માટે વહીવટીતંત્રે હળવો લાઠીચાર્જ પણ કર્યેા હતો. આ નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
દિલસુખનગરની રહેવાસી રેવતી તેના પતિ ભાસ્કર અને તેમના બે બાળકો શ્રી તેજ અને સાન્વિકા સાથે
'પુષ્પા ૨'નો પ્રીમિયર શો જોવા માટે આવી હતી. જેમ જેમ ટોળું વધતું ગયું રેવતી અને તેનો પુત્ર શ્રી તેજ ભીડમાં ફસાતા ગયા. ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, 'પીડિત ૩૯ વર્ષીય મહિલા સંધ્યા થિયેટરમાં બેહોશ થઈ ગઈ હતી અને તેને સારવાર માટે દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે, ત્યાં પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ગંભીર રીતે ઘાયલ શ્રી તેજને સારી સંભાળ માટે બેગમપેટની કિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક બાળક સહિત અન્ય ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું કહેવાય છે. રેવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાંથી ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech