વડિયામાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ, બે નેતાઓ જાહેરમાં બાખડયા

  • April 09, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રીસ વર્ષમાં લોકસભા ચૂંટણીમાં પહેલી વાર ભાજપને અસંતોષનો સામનો કરતી જોવા મળી રહી છે ત્યારે ભાજપમાં આંતરિક જુથવાદના અંકુર ફૂટ્યા હોય તેવા છેલ્લ ા થોડા સમયમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. અમરેલી ના વડિયા માં પણ લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ ભાજપના ત્રણ જુદા જુદા જૂથ કાર્યરત છે તેમાંથી બે પૂર્વ સરપંચો ના જૂથમાં વિવાદ થતા જાહેરમાં બઘડાટી બોલતી જોવા મળી હતી. બંને પૂર્વ સરપંચોએ બસ્ટેન્ડ સામેના જેને લોકો કમલમ બંને નેતાઓએ ગાળા ગાળી કરતા એક રાજકીય ડ્રામા જેવો માહોલ સર્જાયો હતો ત્યારે વર્તમાન ચૂંટણી માં આ જુથવાદ ભાજપ ને ડુબાડશે તેવી લોકોમાં ચર્ચાઓ વહેતી થતી જોવા મળી હતી.ચૂંટણી સમયે ઉભા થતા જુથવાદ ને ભાજપ કઈ રીતે ડામે છે તે તો આવનારો સમય જ નક્કી કરશે પરંતુ વડિયા માં ભાજપનો જુથવાદ ચરમસીમા એ પહોંચી જાહેર બજારમાં ચકડોળે ચડતો જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application