દિલ્હી હાઈકોર્ટમાં વોટસએપે એન્ક્રિપ્શન હટાવવાનો ઈન્કાર કરી દીધો છે અને સાથે એવું પણ કહ્યું છે કે જો સરકાર આવું કરવા મજબૂર કરશે તો ભારત છોડી દઈશું. દિલ્હી હાઈકોર્ટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટસએપએ સ્પષ્ટ્ર કહ્યું છે કે જો તેને મેસેજ એન્ક્રિપ્શન હટાવવા માટે મજબૂર કરવામાં આવશે વોટસએપ ભારતમાં અસરકારક રીતે બધં થઈ જશે. મેટા–માલિકીની કંપની વ્હોટસએપે હાઈકોર્ટમાં વધુમાં કહ્યું હતું કે યુઝર્સની પ્રાઈવસી એન્ડ–ટુ–એન્ડ એન્ક્રિપ્શન દ્રારા સુરક્ષિત છે. આના દ્રારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મેસેજ મોકલનાર અને રીસિવ કરનાર જ અંદરના કંટેટ જાણી શકે છે.ઉલ્લેખનીય છે કે વોટસએપે આ વાત ઈન્ફોર્મેશન ટેકનોલોજી નિયમ ૨૦૨૧ને પડકારતી વખતે કહી છે
એક અહેવાલ અનુસાર, વોટસએપ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ તેજસ કારિયાએ ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે, લોકો પ્રાઈવસી ફીચર્સને કારણે જ વોટસએપનો ઉપયોગ કરે છે. કંપની આઈટી નિયમો ૨૦૨૧ને પડકારી રહી છે, જેમાં મેસેજ ટ્રેસ કરવાની અને મોકલનારને ઓળખ કરવાની વાત કરવામાં આવી છે. કંપનીની દલીલ છે કે આ કાયદો એનક્રિપ્શનને નબળો પાડશે અને ભારતીય બંધારણ હેઠળ યુઝર્સની પ્રાઈવેસીના રક્ષણનું ઉલ્લંઘન થશે.
નોંધનીય છે કે ગયા વર્ષે આયોજિત એક મેટા પ્રોગ્રામમાં કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જે સૌથી આગળ છે. લોકો અને વ્યવસાયો મેસેજિંગને કેવી રીતે અપનાવે છે તેમાં આપ (ભારત) વિશ્વનું નેતૃત્વ કરી રહ્યાં છો. વોટસએપનું કહેવું છે કે નિયમો કન્ટેન્ટના એન્ક્રિપ્શન અને યુઝર્સની પ્રાઈવેસીને નબળી પાડે છે. વકીલ કારિયાએ વધુમાં કહ્યું હતું કે, વિશ્વમાં બીજે કયાંય આવો નિયમ નથી. બ્રાઝિલમાં પણ નહીં. આપણે આખી સાંકળ રાખવી પડશે અને અમને ખબર નથી કે કયા મેસેજને ડિક્રિપ્ટ કરવા માટે કહેવામાં આવશે. આનો અર્થ એ છે કે લાખો અને કરોડો મેસેજને ઘણા વર્ષેા સુધી સ્ટોર કરવા પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech