આમિર ખાન હંમેશા તેની શાનદાર ફિલ્મો માટે જાણીતા અભિનેતા છે. તેની અત્યાર સુધીની કારકિર્દીમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે અને પડદા પર લગભગ દરેક પ્રકારના પાત્ર ભજવ્યા છે, પરંતુ આજે પણ દર્શકો આમિરના ACP અજય સિંહ રાઠોડના પાત્રને ભૂલી શક્યા નથી. આમિર ખાનની ફિલ્મ 'સરફરોશ'ની જે બે દાયકા પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. દર્શકો ઘણા સમયથી આમિરની દેશભક્તિ પર આધારિત ફિલ્મ 'સરફરોશ'ના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આમિરના ચાહકોની રાહનો અંત આવવાનો છે. ડિરેક્ટર જોન મેથ્યુ માથન દ્વારા નિર્દેશિત 'સરફરોશ'ના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે.
આમિર ખાને 'સરફરોશ 2' વિશે કહ્યું
દિગ્દર્શક જ્હોન મેથ્યુ મથ્થન દ્વારા નિર્દેશિત સરફરોશ તાજેતરમાં તેની રજૂઆતના 25 વર્ષ પૂર્ણ થયા છે. સરફરોશની સિલ્વર જ્યુબિલી નિમિત્તે મુંબઈના જુહુ પીવીઆર ખાતે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમિર ખાન, મુકેશ ઋષિ, સોનાલી બેન્દ્રે અને ફિલ્મના દિગ્દર્શક હાજર રહ્યા હતા. આ દરમિયાન આમિરે સરફરોશ 2 અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. જ્યારે આમિરને સરફરોશના બીજા ભાગ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું, 'તમે લોકોએ જ અમને બીજો ભાગ બનાવવા માટે ઉત્સાહિત કર્યા છે. 'સરફરોશ 2' બનાવવા માટે હું ઘણા વર્ષોથી જ્હોનને ફોલો કરી રહ્યો છું. જ્યારે ફિલ્મના છેલ્લા સીનમાં થોડો અહેસાસ પણ થયો હતો કે 'સરફરોશ 2' આવવાની છે. આમિરની આ વાતની રજૂઆત સાથે જ ત્યાં હાજર દરેક લોકો ખુશીથી ઉછળી પડ્યા હતા. આમિરની વાતથી સ્પષ્ટ છે કે હવે દર્શકો જલ્દી ACP અજય સિંહ રાઠોડને મળવાના છે.
આ ફિલ્મમાં જોવા મળશે આમિર ખાન
આમિર ખાનના ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'સિતારે જમીન' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં આમિર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં, 'સિતારે જમીન'ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech