પાકિસ્તાનની મુલાકાતે આવેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલને મોટી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો ઈઝરાયેલ કોઈ મોટો હુમલો કરશે તો ઈરાન તેને નષ્ટ કરી દેશે. રાયસીએ લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. હકીકતમાં, 13 એપ્રિલે ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જોકે, ઈઝરાયેલે તમામ મિસાઈલો અને ડ્રોન તોડી પાડ્યા હતા. તેનો બદલો લેવા માટે ઈઝરાયેલે ગયા અઠવાડિયે ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયેલે ઈરાનના ઈસ્ફહાન શહેર નજીક એક સૈન્ય મથક પર હુમલો કર્યો હતો. જો કે ઈરાને દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયેલના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને તેના ડ્રોનને તોડી પાડ્યા હતા, પરંતુ મીડિયા રિપોટ્ર્સ અનુસાર ઈઝરાયેલના હુમલામાં ઈરાની રડાર સાઈટ સંપૂર્ણ રીતે નાશ પામી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈઝરાયેલ ફરી એકવાર ઈરાનના નિશાનો પર હુમલો કરી શકે છે. આ કારણોસર ઈરાનના રાષ્ટ્રપતિએ ધમકી આપી છે.
રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીએ કહ્યું કે, જો હુમલો થશે તો યહૂદી શાસનને કશું જ બાકી રહેશે નહીં. ઈરાન ઈસ્લામિક રિપબ્લિક પેલેસ્ટિનિયન પ્રતિકારને સમર્થન આપવાનું ચાલુ રાખશે. જો ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો તેનો નાશ થઈ જશે. વાસ્તવમાં, રાયસી સોમવારથી પાકિસ્તાનના 3 દિવસના પ્રવાસ પર છે. તેણે પાકિસ્તાન સાથેના બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયાસ કર્યો છે. પાડોશી દેશોએ પણ પોતાનો બિઝનેસ વધારવા માટે ઘણા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 13 એપ્રિલે ઈરાને મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈરાને કહ્યું હતું કે તે 1 એપ્રિલના રોજ દમાસ્કસમાં દૂતાવાસના કમ્પાઉન્ડ પર ઈઝરાયેલી હુમલાનો બદલો છે, જેમાં ઘણા રાજદ્વારીઓ માયર્િ ગયા હતા. આ હુમલાનો બદલો લેવા માટે ઈરાન પર હવાઈ હુમલો કરાયો હતો. શુક્રવારે ઇસ્ફહાનમાં એક વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતો, જે સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલનો હુમલો હતો, પરંતુ તેહરાને આ ઘટનાને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે તેનો બદલો લેવાની કોઈ યોજના નથી, પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિના આ નિવેદનથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech