ભારતમાં હાલમાં જ 18મી લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. જેમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર બહુમતી મળી છે. એનડીએ ગઠબંધનને 292 જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 240 બેઠકો મળી છે. ગઈ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી પરંતુ આ વખતે તેણે સહયોગીઓની મદદથી સરકાર બનાવવી પડશે.
જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીનો મોટો ફાળો છે. ત્યારે આ બંને રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવે તેવી શક્યતાઓ છે. વિશેષ રાજ્ય બનાવવાના ફાયદા શું છે? વિશેષ દરજ્જો કેવી રીતે મેળવવો. ભારતમાં હાલમાં કેટલા રાજ્યોને આ દરજ્જો આપવામાં આવ્યો છે?
ભારતમાં વિશેષ શ્રેણીના રાજ્યનો દરજ્જો 1969માં પાંચમા નાણાં પંચના અધ્યક્ષ મહાવીર ત્યાગી દ્વારા ગાડગીલ ફોર્મ્યુલાના આધારે નક્કી કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીર, આસામ અને નાગાલેન્ડ એમ ત્રણ રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ગાડગીલ ફોર્મ્યુલા મુજબ તેનું મૂલ્યાંકન કરતી વખતે સામાજિક, આર્થિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય વિકાસ પરિષદે વિશેષ દરજ્જો આપવા માટે કેટલાક માપદંડો તૈયાર કર્યા હતા.
જેમાં રાજ્યની માથાદીઠ આવક, તેની આવકનો સ્ત્રોત, રાજ્યનો ભૂપ્રદેશ કેવો છે, ડુંગરાળ, દુર્ગમ છે કે કેમ, વસ્તી કેટલી છે. તેની સાથે અન્ય કેટલાક માપદંડોના આધારે તેને રેકોર્ડ કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની કલમ 371 હેઠળ રાજ્ય માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જે અંતર્ગત તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આ દરજ્જાના ફાયદા શું છે?
જ્યારે રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો મળે છે. ત્યારે તે રાજ્યને અનેક લાભ મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વિશેષ છૂટ આપવામાં આવે છે. આ સાથે અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ અનુદાન આપવામાં આવે છે. આ રાજ્યો માટે સરકારી બજેટના કુલ 30% ખર્ચ થાય છે. જો આ રાજ્યોને આપવામાં આવેલી રકમ એક વર્ષમાં ખર્ચવામાં ન આવે તો તેને આગામી વર્ષમાં લઈ જવામાં આવે છે. જ્યારે સામાન્ય રાજ્યોમાં એવું થતું નથી. જો ત્યાં રકમ ત્યાં ખર્ચવામાં ન આવે તો તે રકમ પછી સોંપવામાં આવે છે. એટલે કે તેને આવતા વર્ષ માટે ઉપયોગમાં લઇ શકાતી નથી.
આ રાજ્યોનો સમાવે થાય છે ‘વિશેષ રાજ્યો’ની યાદીમાં
હાલમાં, ભારતમાં 11 રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં મોટાભાગના રાજ્યો ઉત્તર-પૂર્વના છે. જેમાં મેઘાલય, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને આસામનો સમાવેશ થાય છે અને પહાડી રાજ્યોમાં ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech