માધાપર નજીક પરિણીતાનો ગળેફાંસો ખાઈને આપઘાત

  • September 19, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં આપઘાતનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે માધાપર ચોકડી નજીક રહેતા પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે.પ્રા વિગત મુજબ માધાપર ચોકડી પાસે દ્રારકાધીશ પેટ્રોલ પંપની સામે ખીજડાવાળી શેરીમાં રહેતાં માયાબેન કિશનભાઇ સિતાપરા (ઉ.વ.૩૨) નામના પરિણીતાએ સાંજે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો આવી જતા નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફએ હોસ્પિટલે પહોંચી જરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક આપઘાત કરનાર માયાબેનના લ થયાને ૧૩ વર્ષ જેટલો સમય થયો હતો અને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. પતિ ઇશ્વરીયા પાર્કમાં નોકરી કરે છે. પરિણીતા ઘરે એકલા હતા ત્યારે પગલું ભરી લીધું હતું. તેણીએ કયાં કારણથી પગલું ભયુ એ પરિવારજનો પણ જાણતા ન હોઈ પોલીસે તપાસ યથાવત રાખી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application