ભારતમાં બજેટ રજૂ કરવા માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. દર નાણાકીય વર્ષમાં જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે તે નાણાં પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે છે. એવું માત્ર ત્રણ વખત બન્યું છે કે નાણામંત્રીને બદલે વડાપ્રધાને બજેટ રજૂ કરવું પડ્યું હોય. બજેટ રજૂ કરતી વખતે હંમેશા લાલ સૂટકેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે સમય જતાં તેમાં થોડો ફેરફાર થયો અને તેનું સ્થાન ટેબલેટે લીધું. પરંતુ ટેબલેટનું કવર પણ લાલ રાખવામાં આવ્યું. શું જાણો છો કે બજેટ રજૂ કરતી હંમેશા લાલ બેગ કે કવર જ કેમ હોય છે? આ લાલ રંગ પાછળનું રહસ્ય શું છે?
ભારતમાં જ્યારે પણ બજેટ રજૂ કરવામાં આવતું ત્યારે તેના દસ્તાવેજોની બેગ હંમેશા લાલ રંગની રહેતી. જો કે અગાઉ નાણામંત્રી બજેટ દસ્તાવેજો સૂટકેસમાં લાવતા હતા અને તે મીડિયાની સામે પણ બતાવવામાં આવતા હતા પરંતુ મોદી સરકારના બીજા કાર્યકાળમાં, બજેટનું ફોર્મેટ બદલાઈ ગયું અને નિર્મલા સીતારામને સૂટકેસને બદલે લાલ રંગના ખાતાવહીનો ઉપયોગ કર્યો. જ્યારે 2021માં તેઓએ બજેટને પેપરલેસ બનાવ્યુ અને બજેટ દસ્તાવેજોની ફાઇલ ટેબલેટમાં લાવવામાં આવી. ખાસ વાત એ છે કે આ ટેબલેટના કવરનો રંગ લાલ રાખવામાં આવ્યો હતો. તેમાં અશોક સ્તંભ પણ છપાયેલો હતો.
ગ્લેડસ્ટોન બોક્સનો રંગ લાલ હતો
ભારતમાં બજેટ દસ્તાવેજોની બેગના લાલ રંગ પાછળનું રહસ્ય એ છે કે તે અંગ્રેજોના કારણે છે. ભારતમાં આઝાદી પહેલાં 1860માં બ્રિટિશ ચાન્સેલર ગ્લેડસ્ટોને રાણીના મોનોગ્રામના રૂપમાં લાલ ચામડાની બેગ રજૂ કરી હતી. આ બેગને ગ્લેડસ્ટોન બોક્સ કહેવામાં આવતું હતું. લાલ ચામડાથી બનેલા હોવાને કારણે આ લાલ રંગ તેની ઓળખ બની ગયો.
આ પછી 16મી સદીના છેલ્લા ભાગમાં, એલિઝાબેથના પ્રતિનિધિએ સ્પેનિશ રાજદૂતને એક મીઠી વાનગી આપી. જે બોક્સમાં આ વાનગી આપવામાં આવી હતી તે પણ લાલ હતી. આ પછી લાલ રંગની પરંપરા શરૂ થઈ.
આ પણ લાલ રંગનું કારણ
બજેટ બેગ લાલ હોવાનું એક કારણ એ છે કે તેમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો છે અને લાલ કવર દરેકને આ બજેટ તરફ આકર્ષે છે. મહત્વપૂર્ણ જાહેરાતો માટે આ રંગ યોગ્ય માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં, ધાર્મિક ગ્રંથોને આવરી લેવા માટે પણ લાલ કપડાનો વધુ ઉપયોગ થાય છે. ત્યારે આ રંગને બજેટ જેવા મહત્વના દસ્તાવેજો સાથે પણ જોડવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech