વિનેશ ફોગાટે કેમ કર્યો રાજકારણમાં પ્રવેશ? થયો ખુલાસો
રેસલર વિનેશ ફોગાટ જે તાજેતરમાં જ રાજકીય રિંગમાં કૂદી પડી છે. તે કહે છે કે રાજકારણમાં તેણીની એન્ટ્રી પસંદગીથી નહીં પરંતુ મજબૂરીથી થઈ હતી. હરિયાણાના જીંદમાં જુલાના મતદારક્ષેત્રથી ચૂંટણી લડી રહેલા ફોગાટે જણાવ્યું કે ક્યા સંજોગોએ તેમને રાજકારણમાં આવવાની પ્રેરણા આપી.
વિનેશ ફોગાટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે શા માટે તેણે રાજકારણમાં આવવાનું અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
આ માટે રાજકારણમાં આવવાનું કર્યું નક્કી
વિનેશ ફોગાટે કહ્યું, 2024 ઓલિમ્પિક પછીના સંજોગોએ મને ચૂંટણી લડવા માટેનો નિર્ણય પ્રેરિત કર્યો છે. લોકોએ માંગ કરી કે હું તેમના અને તેમના બાળકો માટે મારી અંદરના યોદ્ધાને જીવંત રાખું. તેમણે સમજાવ્યું કે તેમનો નિર્ણય હાઈ-પ્રોફાઈલ કુસ્તીબાજોના વિરોધ પછી ન્યાય માટે તેમની અથાક લડતથી પ્રેરિત હતો. જે મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. વિનેશ ફોગટ એ ટોચના કુસ્તીબાજોમાં સામેલ હતા જેઓ ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણ સિંહના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના પર અનેક મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
રાજનીતિ આપણા માટે વિકલ્પ નથી, જરૂરિયાત છે
વિનેશ ફોગાટે કહ્યું, "અમે રસ્તાઓ પર લડ્યા, અમને શું મળ્યું? અમને અપમાન સિવાય કંઈ મળ્યું નથી. હું ઓલિમ્પિકમાં ગય. શું મને ન્યાય મળ્યો? અમને ક્યારેય ન્યાય નથી મળ્યો. રાજકારણમાં પ્રવેશ કરવો એ કોઈ પસંદગી નહોતી, પરંતુ એક આવશ્યકતા હતી."
જુલાના સામે લડવાનો કોંગ્રેસ નેતૃત્વનો નિર્ણય
ચરખી દાદરી સીટને બદલે જુલાનાને પસંદ કરવાના પ્રશ્ન પર વિનેશ ફોગાટે કહ્યું કે આ તેમનો નિર્ણય નથી પરંતુ કોંગ્રેસ નેતૃત્વનો છે. હરિયાણા અને જુલાના માટેના તેમના વિઝનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જુલાના મારી પ્રાથમિકતા છે, પરંતુ મારો ઉદ્દેશ્ય સમગ્ર હરિયાણાના વિકાસ માટે કામ કરવાનો છે. હું મારી જાતને માત્ર એક મતવિસ્તાર સુધી મર્યાદિત રાખવા માગતી નથી. હરિયાણા માટે તેમનું વિઝન યુવા એથ્લેટ્સ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાસ કરીને જેઓ જાતીય સતામણીનો ભોગ બને છે. હું તેમને વિશ્વાસ અપાવવા માંગુ છું કે કોઈ તેમના માટે ઊભું છે, તેમના અધિકારો માટે લડી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech