અવકાશની દુનિયા રહસ્યોથી ભરેલી છે. આ રહસ્યોને ઉકેલવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. અવકાશમાં ગયેલા નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું વાપસી હવે આવતા વર્ષ સુધીમાં શક્ય છે. બોઇંગ સ્ટારલાઇનરના કેપ્સ્યુલમાં ખામી સર્જાવાને કારણે તેમનું પાછા આવવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાં અવકાશયાત્રીઓ સફેદ સૂટ જ કેમ પહેરે છે? જાણો તેની પાછળનું કારણ.
સ્પેસ
અવકાશની દુનિયાને રહસ્યોથી ભરેલી દુનિયા કહેવાય છે. વૈજ્ઞાનિકો આ રહસ્યોને ઉકેલવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેથી જ અવકાશયાત્રીઓ વિવિધ અવકાશ એજન્સીઓ વતી અવકાશમાંથી પૃથ્વી પર આવતા-જતા રહે છે. ક્યારેક કોઈ ખાસ મિશન માટે તેમને ઘણા દિવસો સુધી અવકાશમાં રહેવું પડે છે. જોયું જ હશે કે અવકાશયાત્રીઓને અવકાશમાં અથવા અવકાશયાનમાં ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરવો પડે છે. ઘણીવાર અવકાશયાત્રીઓને સફેદ રંગના સૂટમાં જોયા હશે. જો કે કેટલાક અવકાશયાત્રીઓ નારંગી રંગના સૂટ પણ પહેર્યા હોય છે.
અવકાશમાં સફેદ પોશાક
અવકાશયાત્રીઓ અવકાશમાં ખાસ કરીને સફેદ રંગના સૂટ પહેરે છે પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે અવકાશયાત્રીઓ હંમેશા સફેદ સૂટ કેમ પહેરે છે અને તેઓ પીળા, વાદળી કે લાલ રંગના સૂટ કેમ નથી પહેરતા? અવકાશયાત્રીને અવકાશમાં મોકલતા પહેલા સ્પેસક્રાફ્ટ સિવાય, વૈજ્ઞાનિકો તે વ્યક્તિના વજન, આહાર અને કપડાં સાથે સંબંધિત દરેક વસ્તુ પર ચીવટથી કામ કરે છે. જેમાં અવકાશયાત્રીના સફેદ રંગના સૂટનો પણ સમાવેશ થાય છે. સફેદ રંગ સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને આ રંગ અવકાશના ઘેરા વાતાવરણમાં સરળતાથી દેખાય છે. એટલા માટે આ સૂટનો ઉપયોગ અવકાશમાં થાય છે. આ સૂટમાં વોટર કૂલિંગ સિસ્ટમ છે, જે અવકાશમાં ટકી રહેવામાં મદદ કરે છે.
નારંગી રંગનું સ્પેસ સૂટ
આ સિવાય કેટલાક અવકાશયાત્રીઓના સૂટ નારંગી રંગના એન્ટ્રી સૂટ હોય છે. તેનો રંગ નારંગી રાખવા પાછળ એક ખાસ કારણ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ રંગ અન્ય રંગો કરતાં વધુ દેખાય છે. આ રંગ કોઈપણ લેન્ડસ્કેપમાં ખાસ કરીને સમુદ્રમાં સરળતાથી દેખાય છે. અવકાશયાત્રીઓ લોન્ચ દરમિયાન આ સૂટ પહેરે છે. કારણકે જો કોઈ અવકાશયાત્રી દુર્ઘટનામાં પ્રક્ષેપણ દરમિયાન સમુદ્રમાં પડી જાય તો તેને ઓરેન્જ કલરના સૂટમાં સરળતાથી જોઈ શકાય છે. આ જ કારણ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પ્રક્ષેપણ અને પરત ફરતી વખતે નારંગી રંગના સૂટ પહેરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech