યુક્રેને પશ્ચિમી કુસ્ર્ક વિસ્તારના કેટલાક વિસ્તાર પર કબજો કરીને રશિયાને મોટો ઝટકો આપ્યો હતો. આ દરમ્યાન હવે એવી ચર્ચાઓ પણ શ થઈ છે કે, રશિયા અત્યાર સુધી આનો જવાબ કેમ આપી શકયું નથી. નિષ્ણાતો આ માટે ઘણા કારણો જણાવે છે. જો કે, એવા અહેવાલો પણ છે કે રશિયાએ ધીમે ધીમે આ કાર્યવાહીનો જવાબ આપવાનું શ કયુ છે. ખાસ વાત એ છે કે, ફેબ્રુઆરી ૨૦૨૨માં થયેલા હત્પમલા બાદ રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિનના શાસન માટે આને ચોથો મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
ગત સાહે યુક્રેનની સેનાએ કિવના ઉત્તર–પૂર્વમાં હત્પમલો કર્યેા હતો, ત્યારબાદ તેણે ઘણા ગામો કબજે કર્યા હતા અને રશિયન સૈનિકોને કબજે કર્યા હતા. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે, યુક્રેને હત્પમલા અંગે વ્હાઇટ હાઉસ કે પેન્ટાગોનને જાણ કરી નથી. અહીં પુતિને આ હત્પમલા માટે યુક્રેનના સહયોગી દેશોને પણ જવાબદાર ઠેરવ્યા છે.
રિપોર્ટ અનુસાર, એક અમેરિકી અધિકારીએ કહ્યું કે, રશિયાની સેનામાં કિવક રિએકશન ફોર્સનો અભાવ છે, જે ઈમરજન્સીની સ્થિતિમાં એકશન માટે તૈયાર રહી શકે છે. એમ બે અધિકારીઓએ જણાવ્યું કે, રશિયન દળોએ આક્રમણ દરમિયાન પૂર્વ અને દક્ષિણ યુક્રેનમાં લાખો તોપખાનાના શેલ છોડા હતા, પરંતુ મોસ્કો કુસ્ર્કમાંથી યુક્રેનિયનોને હાંકી કાઢવા માટે ભારે તોપોનો ઉપયોગ કરવામાં અનિચ્છા ધરાવે છે.
મળતી માહિતી અનુસાર, એક અધિકારીઓએ કહ્યું કે, એક કારણ એ હોઈ શકે છે કે રશિયનો તેમના પોતાના વિસ્તારોમાં હત્પમલો કરવા નથી માંગતા. અહેવાલો અનુસાર, પૂર્વી યુક્રેનમાં સતત યુદ્ધ બાદ રશિયા પાસે દાગોળાની પણ અછત પડી શકે છે. એક અમેરિકી અધિકારીનું કહેવું છે કે રશિયાએ કુસ્ર્કમાં યુક્રેનિયન દળોનો મુકાબલો કરવા માટે સૈન્ય વધારવાનું શ કયુ છે. ઉપરાંત, રશિયાના ધીમા પ્રતિસાદનું એક કારણ એ છે કે યુક્રેન શું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેનો તેમને સ્પષ્ટ્ર ખ્યાલ નથી.
એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, યુક્રેનના હત્પમલાનું એક કારણ રશિયન સૈનિકોને પકડવાનું હોઈ શકે છે, જેનો ઉપયોગ તે કેદીઓના બદલામાં કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ૩ હજારથી વધુ યુદ્ધ કેદીઓ અદલા–બદલી દ્રારા ઘરે પરત ફર્યા છે. જો કે, હજુ એ સ્પષ્ટ્ર નથી થયું કે બંને પક્ષો પાસે કેટલા યુદ્ધ કેદીઓ છે. રશિયાના કુસ્ર્કમાં સંઘર્ષ ચાલુ છે. અહીં યુક્રેનિયન વાયુસેનાએ સીમ નદી પરના પુલને તોડી પાડો અને નજીકના પુલ પર હત્પમલો કર્યેા. આ પુલ પરથી જ રશિયન સેનાને સૈન્ય અને અન્ય સામાન સપ્લાય કરવામાં આવતો હતો. સરહદ પારથી ઘૂસણખોરીના બે અઠવાડિયાથી ઓછા સમય બાદ આ હત્પમલો થયો છે. આ હત્પમલાથી રશિયન સપ્લાય ટ ખોરવાઈ ગયો છે. પુલના વિનાશને કારણે રશિયાની યુદ્ધ કામગીરીને અસર થઈ શકે છે.
યુક્રેન કહે છે કે, તે તેના સપ્લાય ટને વિક્ષેપિત કરવા માંગે છે. આ હત્પમલો યુક્રેનની સરહદથી ૧૫ કિલોમીટર દૂર વનનોયે ગામ પાસે કરવામાં આવ્યો હતો. વાયુસેના કમાન્ડર માયકોલા ઓલેશ્ચુકે કહ્યું કે, બીજો પુલ નષ્ટ્ર થયો છે, વાયુસેનાના એરક્રાટે ચોકસાઇ સાથે પુલને ટક્કર મારી હતી. અમે દુશ્મનોને પુરવઠાથી વંચિત રાખવાનું ચાલુ રાખશું. તેણે હત્પમલાનો વીડિયો પણ જાહેર કર્યેા છે. રશિયન બ્લોગરે નાશ પામેલા પુલની તસવીરો પણ શેર કરી છે. શુક્રવારે, યુક્રેને ગ્લુશકોવો શહેરની નજીક સીમ નદી પરના પુલને નિશાન બનાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech