આગામી 2-3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને આતિશીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ચૂંટણી પહેલા એક મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોના ચહેરા પર ચૂંટણી લડશે? અને જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને AAPના સત્યેન્દ્ર જૈને આ સવાલોના જવાબ આપ્યા છે.
દિલ્હીમાં AAP કોના ચહેરા પર ચૂંટણી લડશે?
દિલ્હીમાં આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. હાલમાં જ સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી અરવિંદ કેજરીવાલના ચહેરા પર લડશે. દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈને પણ જવાબ આપ્યો છે કે જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો સીએમ કોણ હશે.
જો અમે જીતીશું તો દિલ્હીના સીએમ કોણ બનશે?
સત્યેન્દ્ર જૈનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે તો શું આતિશી કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનશે? આ પ્રશ્નનો જવાબ આપતાં સત્યેન્દ્ર જૈને રાજીનામું આપતી વખતે અરવિંદ કેજરીવાલના નિવેદનને યાદ કરાવ્યું હતું અને કહ્યું હતું કે રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું હતું કે હું જનતાની અદાલતમાં જઈ રહ્યો છું, જો જનતા તેમને ક્લીનચીટ આપશે તો જ તેઓ CM બનશે ખુરશી પર બેસશે. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech