રાજકોટ નજીક કુવાડવા હાઈવે પર આવેલા જીયારા ગામમાં ગઈકાલની એક જ રાતમાં છ કિલોમીટરના અંતરે ત્રણ–ત્રણ ધાર્મિક સ્થાનોને આગ લગાવાયાની ઘટત્તનાથી ગ્રામજનો ભાવિકોમાં રોષ ભભૂકયો છે. ત્રણેય મંદિરો આજુબાજુમાં નહીં પરંતુ છ કિલોમીટર જેવા અંતરે આવેલા છે આવુ કૃત્ય કરનાર કોઈપણ ઈસમ વાહન લઈને જ આવ્યા હોય તો જ એક સાથે એક જ રાત્રીમાં ટૂંકા સમયમાં ત્રણ–ત્રણ ધાર્મિક સ્થાનો સળગાવી શકે? આવું દુષ્કૃત્ય કરવા પાછળનો ઈરાદો શું? સહિતના મુદે એરપોર્ટ પોલીસે હાલ તો ફરિયાદ નોંધીને આગ લગાડનાર કોણ? તેને શોધવા સીસીટીવીના આધારે મથામણ આરંભી છે
એક મંદિરેથી મૂર્તિ ઉઠાવી ત્રણ કિલોમીટર દૂર લઈ જઈ અન્ય સ્થળે સળગાવાઈ
ગામમાં રામદેવ પીર મંદિર ખાતે હરજીભાથીની મૂર્તિ આવેલી છે. આ મૂતિર્ને રામદેવપીરની મૂર્તિને આગ ચાંપી ત્યાં ન સળગાવી પરંતુ હરજીભાથીની મૂર્તિને ત્રણ કિલોમીટર દૂર આવેલા મેલડી માતાજીના મંદિરે લઈ જવાઈ હતી અને ત્યાં લાકડાથી સળગાવીને સાવ નષ્ટ્ર કરાઈ હતી. રામદેવપીરની મૂર્તિ તથા તેમના ઘોડાને ટાયર પહેરાવીને સળગાવાયા હોય તેમ બન્નેને સળગીને ખાક થયેલા ટાયરના લોખંડના તાર વિટળાયેલા મળ્યા છે. પોલીસે એફએસએલની મદદ મેળવી છે કે, કયાં પ્રવાહીથી આગ લગાવાઈ હતી જીયાણા ગામે ગામના પાદર નજીક કમ્પાઉન્ડ બધં રામદેવપીર મંદિરમાં આગ લગાવાઈ એ જ રીતે ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર બંગલાવાળા મેલડી માતાજીથી ઓળખાતા મંદિરમાં આગ લાગી અને ત્રણ કિલોમીટર દૂર એવા વાસંગી મંદિરને પણ આગ ચંપી કરાઈ હતી. મંદિરોમાં આગ લાગ્યાની અને મૂર્તિઓ, ગર્ભગૃહ અન્ય વસ્તુઓ બળીને ખાક થઈ ગયાની જાણ થતાં ગ્રામજનો એકત્રિત થઈ મંદિરો પર દોડી ગયા હતા. મંદિરોને સાવ સળગેલી હાલતમાં તેમજ મૂર્તિઓ પણ બળેલી જોઈને રોષ ભરાયા હતા.
બનાવ સંદર્ભે એરપોર્ટ પોલીસને જાણ કરતાં પીઆઈ એ.કે.રાઠોડ તથા સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાના પગલે ડીસીપી ઝોન–૧ સનસિંહ પરમાર, એલસીબી, ક્રાઈમ બ્રાંચની ટીમ પણ દોડી ગઈ હતી. બનાવ અંગેની વિગતો મેળવી હતી. સમગ્ર ઘટના અંગે તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ સવશીભાઈ મેઘાણી ઉ.વ.૬૨ની ફરિયાદ આધારે એરપોર્ટ પોલીસ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગામમાં રહેલા સીસીટીવી ચેક કરવાનો આરભં કર્યેા છે. જયારે માનસિક રીતે અશકત કોઈનું કૃત્ય હોવાની પણ આશંકા દર્શાવરી ગામના આવા વ્યકિતની પૂછતાછ કરી હતી.
એક એવી વાત બહાર આવી હતી ગ્રામ પંચાયતના એક પૂર્વ હોદેદારે માનસિક રીતે પીડાઈને આવું કૃત્ય કર્યુ હોઈ શકે જો કે આ બાબતે હજી પોલીસે કોઈ સ્પષ્ટ્રતા કરી નથી માત્ર તપાસ ચાલુ છેની વાત દોહરાવી છે.ગ્રામજનોમાંથી પ્રા વિગતો મુજબ તા.૧૩ની રાત્રે એક વાગ્યા બાદ આ અઘટિત ઘટના બની હોઈ શકે. ગામમાં તા.૧૩ની રાત્રે લાઈટ નહોતી માટે પીજીવીસીએલની ટીમ વાહન સાથે રિપેરિંગમાં હતી. ગામમાં પણ લાઈટ ન હોવાના કારણે ગ્રામજનોની અવરજવર રાત્રે એક વાગ્યા સુધી ચાલુ હતી. ત્યારબાદ ગામમાં રામદેવ પીર મંદિર ટાયરોથી સળગાવાયું, ત્યાંથી ત્રણ કિ.મી. દૂર મેલડી માનું મંદિર એ જ સાંજે ત્યાં તાવો હતો એટલે ત્યાં પડેલા લાકડાથી સળગાવ્યું હોઈ શકે બન્ને મંદિર સાવ બળી ગયા હતા. જયારે વાસંગી દાદાનું મંદિર બહારથી દરવાજાને તાળુ હોવાથી બહારના ભાગે કપડાં નાખીને સળગાવવાનો પ્રયાસ થયો હતો.
ત્રણેય મંદિર ત્રણ–ત્રણ કિલોમીટરના અંતરે છ કિલોમીટરની ત્રિયામાં આવેલા છે માટે કોઈ વ્યકિત રાત્રે પગપાળા ચાલીને ત્રણેય મંદિર સુધી અંધારામાં જઈ ન શકે. દિવસ હોય તો હજી કદાચ શકય બને માટે પૂર્વ યોજીત ઈરાદા સાથે કોઈ વ્યકિત મંદિરોમાં આગ ચાંપવા નીકળ્યો હોય અને આગ લગાડવા માટે ટાયર, કપડાં પણ સાથે રાખ્યા હતા. માનસિક વિકૃત અથવા તો શાંતિમાં પલિતો ચાંપવા કે આવા ગામમાં મંદિરોના વિકાસ કે કામો જોઈ ન શકનારા શખસ દ્રારા આવી નીચ પ્રવૃતિ કરાઈ હોઈ શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech