ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સીએમ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તરફ નિશાન સાધી જાહેર સભામાં સવાલ ઉઠાવ્યો હતો કે બાબા સિદ્દીકીની હત્યા કોને કરી અને કેવી રીતે કરવામાં આવી તે હજુ સુધી સામે આવ્યું નથી.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા શા માટે કરવામાં આવી તેનો જવાબ કોઈની પાસે નથી. કોઈ કહે છે કે કોઈ જેલમાં બેઠો છે અને તેને મારવામાં આવ્યો છે, તો કોઈ કહે છે કે લડાઈ થઈ હતી અને તે માર્યો ગયો હતો. પરંતુ, પ્રશ્ન એ થાય છે કે હત્યા પાછળ કોનું મન છે,કોનો હાથ છે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર ફારુક શાહના સમર્થનમાં જાહેરસભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને સવાલ પૂછ્યા કે બાબા સિદ્દીકીની હત્યા કેવી રીતે થઈ? ઓવૈસીએ કહ્યું, બાબા સિદ્દીકીની હત્યા થઈ, મહારાષ્ટ્રમાં આ શું થઈ રહ્યું છે, ત્રણ વખતના ધારાસભ્યને 6 વખત ગોળી મારી દેવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, તમે એ જણાવો કે કેવી રીતે બાબા સિદ્દીકીનું મોત થયું.
મહારાષ્ટ્ર પોલીસ નબળી પડી છે - ઓવૈસી
એઆઈએમઆઈએમ પ્રમુખે કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા બાદ કહેવામાં આવ્યું હતું કે અમે આટલા દિવસો સુધીમાં આરોપીને પકડીને બતાવીશું. તેણે પ્રશ્ન પૂછ્યો કે કોની ધરપકડ કરવી? ક્યાં છે હત્યારાઓ? ઓવૈસીએ કહ્યું કે દર બીજા દિવસે મીડિયામાં આવે છે કે પોલીસ ત્યાં ગઈ, પોલીસ અહીં ગઈ. મહારાષ્ટ્ર પોલીસ ઘણી સક્ષમ છે, ગુપ્તચર નેટવર્ક ખૂબ મજબૂત છે, પરંતુ નરેન્દ્ર મોદી સત્તામાં છે, તેથી તેઓ નબળા પડી ગયા છે. આ નબળાઈના કારણે અત્યાચારો થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech