ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સીએમ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તરફ નિશાન સાધી જાહેર સભામાં સવાલ ઉઠાવ્યો હતો કે બાબા સિદ્દીકીની હત્યા કોને કરી અને કેવી રીતે કરવામાં આવી તે હજુ સુધી સામે આવ્યું નથી.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા શા માટે કરવામાં આવી તેનો જવાબ કોઈની પાસે નથી. કોઈ કહે છે કે કોઈ જેલમાં બેઠો છે અને તેને મારવામાં આવ્યો છે, તો કોઈ કહે છે કે લડાઈ થઈ હતી અને તે માર્યો ગયો હતો. પરંતુ, પ્રશ્ન એ થાય છે કે હત્યા પાછળ કોનું મન છે,કોનો હાથ છે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર ફારુક શાહના સમર્થનમાં જાહેરસભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને સવાલ પૂછ્યા કે બાબા સિદ્દીકીની હત્યા કેવી રીતે થઈ? ઓવૈસીએ કહ્યું, બાબા સિદ્દીકીની હત્યા થઈ, મહારાષ્ટ્રમાં આ શું થઈ રહ્યું છે, ત્રણ વખતના ધારાસભ્યને 6 વખત ગોળી મારી દેવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, તમે એ જણાવો કે કેવી રીતે બાબા સિદ્દીકીનું મોત થયું.
મહારાષ્ટ્ર પોલીસ નબળી પડી છે - ઓવૈસી
એઆઈએમઆઈએમ પ્રમુખે કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા બાદ કહેવામાં આવ્યું હતું કે અમે આટલા દિવસો સુધીમાં આરોપીને પકડીને બતાવીશું. તેણે પ્રશ્ન પૂછ્યો કે કોની ધરપકડ કરવી? ક્યાં છે હત્યારાઓ? ઓવૈસીએ કહ્યું કે દર બીજા દિવસે મીડિયામાં આવે છે કે પોલીસ ત્યાં ગઈ, પોલીસ અહીં ગઈ. મહારાષ્ટ્ર પોલીસ ઘણી સક્ષમ છે, ગુપ્તચર નેટવર્ક ખૂબ મજબૂત છે, પરંતુ નરેન્દ્ર મોદી સત્તામાં છે, તેથી તેઓ નબળા પડી ગયા છે. આ નબળાઈના કારણે અત્યાચારો થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech