ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ચૂકી છે. જોકે બન્ને દેશ વચ્ચે કોણ મધ્યસ્થી બન્યું તે અંગે અમે આપને જણાવી રહ્યા છીએ. બન્ને દેશના વડાપ્રધાન સાથે 48 કલાકથી વાતચીત ચાલી રહી હતી
હવે પછી ન્યુટ્રલ સાઇટ ઉપર બંને દેશના લોકો મળીને વાતચીત કરશે એટલે કે જે એજન્ડા ઉપર આયુદ્ધ વિરામ નક્કી થયું હોય એ એજન્ડા અંગે વાતચીતનો દોર ચાલશે અને તે ન્યુટ્રલ સાઈટનો મતલબ એવો થાય કે ભારત કે પાકિસ્તાન નહીં પણ ત્રીજી જ કોઈ જગ્યા
અમેરિકાએ 48 કલાકથી બન્ને દેશની સરકાર સાથે વાતચીત કરી
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને ઉપરાષ્ટ્રપતિએ મોદી સાથે વાત કરી હતી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને હું પોતે છેલ્લા 48 કલાકથી ભારત-પાકિસ્તાનના અધિકારીઓ તેમજ પીએમ નરેન્દ્ર મોદી, પીએમ શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાત કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું, 'મને એ જણાવતા આનંદ થાય છે કે પાકિસ્તાન અને ભારતની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ છે. બંને દેશોએ નિષ્પક્ષ મંચ પર વિવાદોના ઉકેલ માટે વાતચીત કરવા સંમતિ આપી છે. શાંતિનો માર્ગ સમજદારીપૂર્વક પસંદ કરવા બદલ અમે મોદી અને શાહબાઝ શરીફની પ્રશંસા કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech