૨૦૧૪માં કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ્યા બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત જળવાઈ રહી છે. પોતાનો ચહેરો આગળ રાખીને, ભારતીય જનતા પાર્ટીએ ઘણી વિધાનસભા ચૂંટણીઓ જીતી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ શાનદાર જીત હાંસલ કરવામાં આવી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પીએમ મોદી માટે છેલ્લી લોકસભા ચૂંટણી હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેમના રાજકીય ઉત્તરાધિકારીને લઈને ભાજપમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.
મૂડ ઓફ ધ નેશનનાં ઓપિનિયન પોલ અનુસાર, ૨૯ ટકા લોકો કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહનેપીએમ મોદીના સૌથી યોગ્ય રાજકીય ઉત્તરાધિકારી માને છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૨૫ ટકા મતો સાથે બીજા સ્થાને છે. તે જ સમયે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમનાથી પાછળ છે. સર્વેમાં ૧૬ ટકા લોકોએ તેમનું સમર્થન કયુ હતું. આ તાજેતરના સર્વેમાં તમામ લોકસભા બેઠકોમાંથી ૩૫,૮૦૧ લોકોએ ભાગ લીધો હતો. તે ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ વચ્ચે યોજાઈ હતી. ૨૦૧૪ પછી યોજાયેલી ચૂંટણીમાં પીએમ મોદી વિકાસ અને સુશાસનની રાજનીતિ પર મહોર લગાવીને દેશની રાજનીતિનું કેન્દ્ર બન્યા છે. તેમાં કોઈ શંકા નથી કે પીએમ મોદી ભારતના સૌથી લોકપ્રિય નેતા છે. પરંતુ ભાજપને એક સારા ચૂંટણી મશીનમાં ફેરવવા પાછળ અમિત શાહનો હાથ છે. તેમની ચૂંટણી વ્યૂહરચના માટે ઘણીવાર ભાજપના 'ચાણકય' તરીકે ઓળખાતા, અમિત શાહનું સાવચેત આયોજન અને પક્ષના વડા તરીકેની રાજકીય કુશળતા ભાજપના ઉદય પાછળ હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરી રહેલા યોગી આદિત્યનાથની પાર્ટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમને કાર્યકર્તાઓમાં ખૂબ માન મળ્યું છે. તેઓ હિન્દુત્વના પ્રબળ પ્રચારક અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે જાણીતા છે. તેમણે ભારતના સૌથી મોટા રાય ઉત્તર પ્રદેશમાં બીજેપીની કિસ્મત ફેરવવા માટે લોકપ્રિયતા મેળવી છે.
ભાજપમાં એક એવા નેતા પણ છે જેમને તમામ રાજકીય પક્ષો તરફથી પ્રશંસા મળી છે. તેઓ નીતિન ગડકરી છે. તે સમસ્યા ઉકેલનાર તરીકે ઓળખાય છે. ગડકરીની પરિવહન મંત્રી તરીકેની કામગીરી અને સમગ્ર દેશમાં હાઈવેનું નેટવર્ક વિસ્તરણ કરવા બદલ વિપક્ષી નેતાઓ દ્રારા તેમની પ્રશંસા કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech