ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિ 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (KKR vs RCB) વચ્ચે રમાશે. તે પહેલાં એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. જાણો IPL ના ઉદ્ઘાટન સમારોહની તારીખ, સમય વગેરે વિશે મહત્વપૂર્ણ બાબતો. મેચનું ટિકિટ વેચાણ પણ શરૂ થઈ ગયું છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2025 ની પહેલી મેચ આરસીબી સામે રમશે. આઈપીએલનો આ પહેલો મેચ 22 માર્ચે સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ 7 વાગ્યે થશે. આ વખતે RCB એ રજત પાટીદારને કેપ્ટનશીપ સોંપી છે. જ્યારે કેકેઆરની કમાન સિનિયર ખેલાડી અજિંક્ય રહાણેના હાથમાં છે. આ મેચ પહેલા અહીં એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે.
IPL 2025 ઉદ્ઘાટન સમારોહ સ્થળ
IPL 2025 નો ઉદ્ઘાટન સમારોહ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે યોજાશે.
IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહનો સમય
આઈપીએલની પહેલી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 7 વાગ્યે થશે. આ પહેલા, IPL ઉદ્ઘાટન સમારોહનો કાર્યક્રમ સાંજે 6 વાગ્યે શરૂ થશે.
IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહના કલાકારો
IPL ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે પરંતુ સમારોહમાં કયા કલાકારો પરફોર્મ કરશે તે હજુ સુધી પુષ્ટિ થયેલ નથી.
IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહની ટિકિટ
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે KKR વિરુદ્ધ RCB મેચ પહેલા IPLનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ મેચની ટિકિટ ઉદઘાટન સમારોહની ટિકિટ હશે. આ મેચ (KKR vs RCB IPL 2025 ટિકિટ)ની ટિકિટો ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. ચાહકો BookMyShow પર ટિકિટ બુક કરાવી શકે છે. ટિકિટના ઓછામાં ઓછા ભાવ ૩,૫૦૦ રૂપિયા છે.
IPL 2025 કુલ 10 ટીમો વચ્ચે રમાશે
IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ 10 ટીમો રમી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech