દિલજીત દોસાંઝ બેક ટુ બેક કોન્સર્ટમાં વ્યસ્ત છે. પુણેમાં તેમના શો દરમિયાન તેમણે દર્શકોને ખૂબ જ સારી શીખ પણ આપી હતી. દિલજીતે કહ્યું કે તેને તેના જીવનમાં ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ જ્યારે તે યોગ કરે છે ત્યારે મન શાંત થાય છે અને કામ વ્યવસ્થિત થઇ જાય છે. દિલજીતે કહ્યું કે યોગ એ કસરત નથી પરંતુ તમારી યાત્રાને સંતુલિત કરે છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે યોગ જીવન પર સકારાત્મક અસર કરે છે.
દિલજીતે કહ્યું કે જ્યારે કોઈને કોઈ વસ્તુ મળે છે તો લોકો કહે છે કે કોઈને તે ન જણાવવું જોઈએ. તે સારું છે પણ મને લાગે છે કે દરેકનો વારો આવવાનો જ છે. તો મને લાગે છે કે જો યોગ કરો છો તો જે પણ કામ કરો છો, ભલે કોઈ ટેક કંપનીમાં કામ કરો, અભ્યાસ કરો, જીવનમાં જે પણ કરો છો તેની ઝડપ બમણી થઈ જશે. તમને ખબર પણ નહીં પડે અને તેની ઝડપ બમણી થઈ જશે.
દિલજીત આગળ જણાવે છે કે યોગ એ કસરત નથી. યોગ સ્ટ્રેચિંગ નથી, યોગ એ તમારી અંદરની એક યાત્રા છે અને તમારુ અલાઈન્મેન્ટ સુધારે છે, જેમ તમે ગાડીની અલાઈન્મેન્ટ ઠીક કરાવો છો. જો તમે અલાઈન્મેન્ટ ન કરો તો ગાડી આડીઅવળી જાય છે. યોગ તમને તમારી મુસાફરી માટે અલાઈન કરે છે. જીવન તેમાંથી જ શરૂ થાય છે. હું કોઈ બાબા તો છું નહી જે તમને આ કહે છે. સાચી વાત એ છે કે જો તમે યોગ કરો છો તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. મુશ્કેલીઓ આવશે. હું દરરોજ ખૂબ જ ટેન્શનનો સામનો કરું છું, હું તમને કહી પણ નથી શકતો કે હું દરરોજ કયા ટેન્શનનો સામનો કરું છું. કામ જેટલું મોટું, તેટલું મોટું ટેન્શન પણ યોગને કારણે બધું આપોઆપ ઠીક થઇ જાય છે. જેટલા યુવાનો છે, તે પ્રયત્ન કરો અને યોગ શરૂ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના 99 ટકા લોકો પોતાના ધર્મ પર કાયમ, ધર્મ પરિવર્તનમાં અમેરિકા સૌથી આગળ
April 22, 2025 04:23 PMરેલવેની મોટી સફળતા: ઋષિકેશથી કર્ણપ્રયાગ 7 કલાકને બદલે માત્ર બે કલાકમાં પહોંચી શકાશે
April 22, 2025 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech