પીએમ મોદી પર અપમાનજનક ટિપ્પણીના વિવાદને કારણે ઘણા ભારતીય પ્રવાસીઓ માલદીવમાં તેમનું રિઝર્વેશન રદ કરી રહ્યા છે. દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિએ ચીનને વધુ પ્રવાસીઓને મોકલવા વિનંતી કરવી પડી છે.
લક્ષદ્વીપની તેમની તાજેતરની મુલાકાત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના કેટલાક પ્રધાનો દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પર્યટનમાં નુકસાન દ્વારા ટાપુ રાષ્ટ્રને મોંઘી પડી રહી છે. હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ચીનને તેમના દેશમાં વધુ પ્રવાસીઓ મોકલવા વિનંતી કરવી પડી રહી છે.
મોહમ્મદ મુઇઝુ સોમવાર (8 જાન્યુઆરી)થી ચીનની પાંચ દિવસની સરકારી મુલાકાતે છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર પીએમ મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓએ અપમાનજનક ટિપ્પણીઓને લઈને રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતીય પ્રવાસીઓ દ્વારા રીઝર્વેશન રદ કરવા પર મંગળવારે (9 જાન્યુઆરી) એ માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂએ ચીનને અપીલ કરી હતી કે તમારા દેશમાંથી વધુ પ્રવાસીઓને મોકલવાના પ્રયાસો વધુ કરો.
તેમની મુલાકાતના બીજા દિવસે, મુઇઝુએ ફુજિયન પ્રાંતમાં માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા કહ્યું કે ચીન આપણા સૌથી નજીકના સાથી અને વિકાસ ભાગીદારોમાંનું એક છે. મુઇઝુએ 2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા શરૂ કરાયેલા બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ચીને માલદીવના ઈતિહાસમાં જોવા મળેલા સૌથી મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરા પાડ્યા છે. આ સાથે તેમણે ચીનને માલદીવમાં તેના પ્રવાસીઓનો પ્રવાહ વધારવા વિનંતી કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech