આજની વ્યસ્ત જીવનશૈલી અને અનહેલ્ધી ડાયટને કારણે, ઘણા લોકો વજન વધવાની ચિંતા કરે છે. વજન ઘટાડવા માટે લોકો અવનવી પદ્ધતિઓ અપનાવતા રહે છે. કેટલાક કસરતની મદદ લે છે તો કેટલાક તેમના ડાયટમાં ફેરફાર કરે છે. ફિટનેસની દુનિયામાં, નવા ટ્રેન્ડ અને નિયમો વારંવાર બદલી રહ્યા છે જેની મદદથી લોકો ફિટનેસ પ્રાપ્ત કરવામાં મદદ મેળવી શકે છે. આ દરમિયાન, બીજી એક નવી ફોર્મ્યુલા સામે આવી છે જે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
આને 6-6-6 ફોર્મ્યુલા કહેવામાં આવે છે જે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે આ ફોર્મ્યુલા વ્યસ્ત લોકો માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે કારણ કે આમાં વજન ઘટાડવા માટે ફક્ત ચાલવું પડશે. જાણો 6-6-6 ફોર્મ્યુલા શું છે? તેનું પાલન કેવી રીતે કરવું અને તેનાથી શરીરને કયા ફાયદા થઈ શકે છે.
6-6-6 ફોર્મ્યુલા શું છે?
6-6-6 ચાલવાના નિયમમાં, સવારે ૬ મિનિટ સુધી વોર્મ આપ કરવું પડશે અને પછી 60 મિનિટ સુધી ચાલવું પડશે. પછી શરીરને 6 મિનિટ માટે કૂલ-ડાઉન કરવું પડશે. જો તેનું નિયમિત પાલન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
6-6-6 ફોર્મ્યુલાથી શરીરને કયા ફાયદા થાય છે?
કેલરી બર્ન થાય છે - 6-6-6 ચાલવાના ફોર્મ્યુલા સાથે, દરરોજ 60 મિનિટ ચાલો છો, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી શરીરની ચરબી પણ ઓછી થાય છે અને વજન ધીમે ધીમે ઘટવા લાગે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક - જ્યારે નિયમિતપણે ચાલો છો, ત્યારે તે કોલેસ્ટ્રોલનું સ્તર અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે.
તણાવ ઘટાડવામાં મદદરૂપ - અંગત જીવન અને વ્યાવસાયિક જીવનને લગતી ઘણી સમસ્યાઓના કારણે, ઘણા લોકોનું સ્ટ્રેસ લેવલ વધે છે પરંતુ ચાલવાથી શરીરમાંથી એન્ડોર્ફિન નામના હોર્મોન્સ બહાર આવે છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
એનર્જી વધારે - જ્યારે સવારે વોર્મ એપ કરીને 6 મિનિટ ચાલો છો, ત્યારે શરીરનું ઓક્સિજન લેવલ વધે છે, જેના કારણે શરીર દિવસભર એનર્જીથી ભરેલું રહે છે અને થાક લાગતો નથી.
6-6-6 ચાલવાના નિયમનું પાલન કેવી રીતે કરવું
તેને વોર્મ-અપથી શરૂ કરવું પડશે. આ માટે હળવું સ્ટ્રેચિંગ કરી શકો છો. એ પછી 60 મિનિટ ચાલવું પડશે. આ 30-30 મિનિટના અંતરાલમાં પણ કરી શકો છો. ચાલ્યા પછી, શરીરને ઠંડુ કરવા માટે યોગ અથવા ધ્યાન કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech