હાલ કોંગ્રેસ પાર્ટી ઉત્તર–પૂર્વના રાજ્યોમાં ભારત જોડો ન્યાય યાત્રા પર છે. જેમાં કેટલીક જગ્યાએ કોંગ્રેસના નેતાઓ પર કથિત હુમલાના અહેવાલો પણ સામે આવ્યા છે. આજે પણ રાહુલ ગાંધીના મંદિરમાં પ્રવેશને લઈને ઘણા સમયથી હોબાળો ચાલી રહ્યો છે. મંદિરમાં પ્રવેશ ન આપવાથી નારાજ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હડતાળ પર બેસી ગયા છે. આ સાથે રાહુલ ગાંધીએ સરકાર પર અનેક સવાલો પણ ઉભા કર્યા છે.
રાહુલ ગાંધી આસામના નાગાંવ જિલ્લામાં સ્થિત વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળના દર્શન કરવા ત્યાં પહોંચ્યા હતા. પરંતુ તેને બહાર રોકી દેવામાં આવ્યા હતા. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે અધિકારીઓ મને નાગાંવના શ્રી શ્રી શંકરદેવ મંદિરમાં જવાની મંજૂરી નથી આપી રહ્યા. આસામના નાગાંવમાં મંદિરમાં દર્શન કરતા રોકવા પર નારાજગી વ્યકત કરતા રાહુલ ગાંધીએ અધિકારીઓને પૂછયું કે શું હવે વડાપ્રધાન મોદી નક્કી કરશે કે મંદિરમાં કોણ જશે? અમે કોઈ સમસ્યા ઉભી કરવા માંગતા નથી, માત્ર મંદિરમાં પૂજા કરવા માંગીએ છીએ. હું તો બસ મંદિરમાં દર્શન કરવા ઇચ્છતો હતો મારો શું વાંક છે ? મંદિર જવાથી રોકાયા બાદ રાહુલ ગાંધી કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે ધરણા પર બેસી ગયા હતા.
આસામમાં 'ભારત જોડો ન્યાય યાત્રા'ના કાફલા પર થયેલા કથિત હુમમલાઓને લઈને કોંગ્રેસે જાહેરાત કરી છે કે તે આ હુમલાઓના વિરોધમાં સોમવારે સાંજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં તેઓ આ મામલે ભાજપ પર સતત હુમલો કરી રહ્યા છે.'' તેમણે કહ્યું, ''આ એક એવો મામલો છે જેને દરેક ભારતીયે ગંભીરતાથી લેવો જોઈએ કારણ કે તે ભારતીય જનતા પાર્ટીના ફાસીવાદ અને ગુંડાગીરીનો પર્દાફાશ કરે છે. સમગ્ર ભારતમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવા અને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ કેવી રીતે આસામમાં તેના મુખ્યમંત્રી હિમંતા શર્મા દ્રારા લોકશાહીની હત્યા કરી રહી છે તે દર્શાવવા માટે નિર્દેશિત કરવામાં આવે છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટેની અમારી લડાઈ. ચાલુ રહેશે. આ પહેલા પણ આસામના સોનિતપુર જિલ્લામાં આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો જયારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશની કારને નિશાન બનાવવામાં આવી હતી. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ રવિવારે સાંજે આસામના નાગાંવ જિલ્લામાં રસ્તાની બાજુના ભોજનશાળામાં ભીડથી ઘેરાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech