ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગોડા સિંચાઈ યોજનામાંથી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાંચ પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શમાં રહી આવશ્યકતા મુજબ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી કુલ ૧૨ ગામનાં ખેડૂતોની ૧૦૦૦ હેકટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે. કેનાલમાં ૬૦ કયુસેક પ્રવાહ પાણીનો વહી રહ્યો છે. જેથી પાકની જરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.
કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતોના ખેતર રવિપાક માટે તૈયાર થઈ ચૂકયા છે. ઘઉં તેમજ ચણા, રાયડો સહિતના વાવેતર થઈ રહ્યું છે. આ પાક માટે જરી પાણી શીંગવડા ડેમમાંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે. શિંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં ૬૦ કયુસેક પાણી અવિરત વહી રહ્યું છે. આ કેનાલ દ્રારા ખેડૂતોના ખેતરો પાણી પી રહ્યા છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. શીંગવડા ડેમની બ્રાન્ચ કેનાલમાંથી જે ૧૦થી ૧૨ ગામના ખેડૂતો ને પાણી મળી રહ્યું છે તે ગામોને જો સિંચાઈ માટે પાણી ન મળે તો જમીન બંજર બની જાય તેવી પરિસ્થિતિ હતી પરંતુ પાણી મળવાથી જ ખેડૂતોની જમીન ફળદ્રત્પપ બની છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તો એવી છે કે ૧૨ પૈકી ૪ ગામોના તળમાં તો પાણી જ નથી. ત્યારે આ કેનાલ ખેડૂતોની જીવાદોરી બની છે. આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ કેનાલ જ અમારી જીવાદોરી છે ઠંડી શ થઈ ચૂકી છે અમે ઘઉંનું વાવેતર કયુ છે. કેનાલનું પાણી મળવાના કારણે સારૂ એવું ઉત્પાદન લઈ શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech