રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં વરસાદ ગાયબ થઇ ગયો છે પરંતુ ગત સાહે વરસેલા વરસાદને કારણે નદી નાળાના વહેણ ચાલું રહેતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. વિશેષમાં લડ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં આજી–૧માં ૦.૦૩ ફટ, આજી–૩માં ૦.૨૬ ફટ, ન્યારી–૧માં ૦.૧૬ ફટ, ન્યારી–૨માં ૦.૧૬ ફટ, ઘેલો સોમનાથમાં ૦.૬૨ ફટ અને માલગઢ ડેમમાં ૦.૬૬ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૨માં ૦.૨૬ ફટ, ડેમી–૧માં ૦.૦૩ ફટ,બ્રાહ્મણીમાં ૦.૧૦ ફટ, મચ્છુ–૩માં ૦.૩૦ ફટ નવા નીરની આવક નોંધાઇ છે. રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા આજી–૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૬ મીટર સુધી ખુલો રાખવામાં આવ્યો છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી. તાજેતરમાં રાજકોટ જિલ્લામાં સિંચાઇ વિભાગ દ્રારા ચોમાસામાં કટોકટીના સમયે તેમજ પૂર વખતે સંપર્ક તૂટે નહીં માટે ડેમ સાઇટ ઉપર આધુનિક વાયરલેસ સેટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે