પોરબંદરમાં છેલ્લા કેટલાક સમયથી જુના ફૂવારાથી એસ.ટી. ડેપો તરફ જતા રસ્તે આવતા ચોક ઉપર તંત્રેલી-મંત્રેલી વસ્તુઓ મૂકવામાં આવે છે તેથી અહીંયા અંધશ્રધ્ધા નિવારણ માટે કામ કરતી સંસ્થાઓથી માંડીને પોલીસે પણ આ મુદ્ે નકકર કાર્યવાહી કરવી જરી બની છે.
૨૧મી સદી એ જ્ઞાન વિજ્ઞાન શિક્ષણ અને ટેકનોલોજીની સદી છે પરંતુ અત્યારના આ આધુનિક સમયમાં પણ ગાંધીભૂમિ પોરબંદરમાં સરાજાહેર અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. શહેરના જુના ફુવારાથી એસ.ટી તરફ જતા રસ્તે આવતા ચોક પર રાત્રિના સમયે તંત્ર-મંત્ર કરવામાં આવતા હોય તેના અનેક પુરાવા આ તાંત્રિકીયા ચોક પર દરરોજ જોવા મળે છે.
અંધશ્રદ્ધાળુઓ અહીંયા તાવડી, કાળી પોટલી, સિંદોર, લીંબુ મરચા, દાંતિયો, કંકુ, બ્લેડ, અરીસો, ટાંચણી ભરાવેલ હોય તેવા લીંબુ અને કાળી પૂતળીઓ થી માંડીને કાળા તલ અડદ જેવી વસ્તુઓ મુકી જાય છે અને અગરબત્તી કરે છે તો ક્યારેક છાણા પેટાવીને ગૂગળ ના ધૂપ વાળો હવન પણ થાય છે. અંધશ્રદ્ધાના નામે ઘણી વખત છેતરપિંડીઓ પણ થતી હોય છે અને લોકોને અલગ અલગ રીતે ડરાવીને આ પ્રકારે વસ્તુઓ ચોકમાં મૂકવા માટે કહેવામાં આવતું હોય છે. લેભાગુ તાંત્રિકો અને લેભાગુ જ્યોતિષીઓથી માંડીને જે કોઈ પણ આવા કૃત્યો કરાવતા હોય તેઓની સામે અંધશ્રદ્ધા નિવારણ સંસ્થાએ કડક કાર્યવાહી પોલીસ મારફતે કરાવી જોઈએ ભૂતકાળમાં આવી અંધશ્રદ્ધાઓ સામે સોબર ગ્રુપ નામની સંસ્થાએ ખૂબ જનજાગૃતિ ફેલાવી છે ત્યારે આ મુદ્દે પણ હવે તેઓએ આગળ આવવું જ રહ્યું તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech