જામનગર બાર એસોસિએશનમાં આજે સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા
જામનગર વકીલ મંડળની આગામી વર્ષ માટે નવનિયુક્ત હોદેદારોની આજરોજ ચૂંટણી યોજાય રહી છે. જિલ્લા ન્યાયાલય ખાતે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાય રહી છે. 1114 જેટલા મતદાતાઓ મતદાન કરશે. બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાય છે.
જામનગર બાર એસોસિએશન પ્રમુખ, સેક્રેટરી, ખજાનચીના ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાય. વકીલ જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવારો છે. જોઇન્ટ સેક્રેટરીના ઉમેદવારોમાં દીપકભાઈ ગચ્છર અને પરેશભાઈ ગણાત્રા ઉમેદવારો છે.
વકીલ મિત્રોની ચૂંટણીમાં મહિલા અનામત બેઠક પર 3 મહિલા ઉમેદવારો, જાગૃતિબેન જોગડીયા, ચંદ્રિકાબેન ધંધુકિયા, રાધાબેન રાવલિયા ચૂંટણી લડી રહ્યા છે. લાઇબ્રેરી સેક્રેટરીના હોદા માટે 2 ઉમેદવારો છે. જુનિયર અને સિનિયર 7 કારોબારી ઉમેદવારો વચ્ચે ચૂંટણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech